ઈશરતનાં સંબંધ કાશ્મીરી અલગતાવાદીઓ સાથે હતા : CBI

સીબીઆઈની તપાસ ટીમમાં સામેલ એક અધિકારીનું કહેવું છે કે આ પ્રાથમિક ચાર્જશીટ છે જેમાં એન્કાઉન્ટર કરનારાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. એન્કાઉન્ટર કરનારાઓમાં આઈપીએસ અધિકારી ડી જી વણઝારા, જી એલ સિંઘલ અને હાલમાં ફરાર છે તેવા પી પી પાંડે પર અપહરણ, હત્યા અને પૂરાવાને નષ્ટ કરવાનાં આરોપ નક્કી કરાયા છે.
ઈશરત અને તેનાં ત્રણેય સાથીદારોની 15 જૂન, 2004માં અમદાવાદ બહારનાં વિસ્તારમાં ગુજરાત પોલીસે લશ્કર એ તૈયબાનાં સભ્ય બતાવીને તેમની હત્યા કરી નાંખી હતી. પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે, આ ચારેય મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનાં મિશન પર અમદાવાદ આવ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે આ ચારમાંથી બે અમઝદ રાણા અને જીશાન જોહરનો સંબંધ કાશ્મીરનાં અલગતાવાદી સમૂહો સાથે હતો. સીબીઆઈએ ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે અમઝદ અલી રાણાનો સંબંધ જાવેદ શેખ સાથે પણ હતો. જાવેદ શેખ દાણચોરી અને નકલી નોટનાં ધંધાનો આરોપી હતો.












Click it and Unblock the Notifications
