ઇશુદાન ગઢવી જામ ખંભાળિયાથી નોંધવાશે ઉમેદવારી
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી આજે ઝામખંભાળીયાથી પોતાની ઉમેદવારી નોધાવશે. આ પહેલા તેમની સીટને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી. જેમા અમદવાદ તેમજ દ્વારકાથી ચૂટણી લડી શકે છે તેમ માનવામા આવતુ હતુ. પરંતુ જ
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી આજે ઝામખંભાળીયાથી પોતાની ઉમેદવારી નોધાવશે. આ પહેલા તેમની સીટને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી. જેમા અમદવાદ તેમજ દ્વારકાથી ચૂટણી લડી શકે છે તેમ માનવામા આવતુ હતુ. પરંતુ જ્ઞાતિ સમિકરણોન ધ્યાનમાં રાખીને ઇશુદાન ગઢવીએ પોતાના માટે સેફ સીટ શોધી હો તેમ રાજકીય વિશ્લેશકોને લાગી રહ્યુ છે.

ઇશુદાન ગઢવી આજે ગઢવી ચારણના માતાના મંદિરે દર્શન કરીને ચૂંટણી માટે ઉમેદવારી નોધવશે તેમની સાથે પંજાબના મુંખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણીની ઉમેદવારી નોધવા માટે તેમની સાથે હાજર રહેશે. વિજય મુહૂર્તમાં ઇશુદાન ગઢવી પોતાની ઉમેદવારી નોધાવશે.
લાંબા સસ્પેન્સ બાદ આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવારની બેઠકની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇેન આપના કાર્યકર્તા સહિતના નેતાઓ રાહ જોઇને બેઠા હતા. આખરે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ઇશુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટમી લડશે.












Click it and Unblock the Notifications
