જન વિકલ્પ આપશે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત

જન વિકલ્પ મોર્ચાએ બિન અનામત વર્ગને 25 ટકા અને કોળી જેવી જાતિઓને અલગથી 10 ટકા અનામત આપવાની વાત કરી છે. જાણો વધુ અહીં.

બુધવારે, લાભપાંચમના શુભ અવસરે જન વિકલ્પ મોર્ચાએ તેનું ચૂંટણી ચિન્હ ટેક્ટર રજૂ કર્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતી જનતાને ત્રીજા વિકલ્પ મળે તે માટે શંકર સિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જન વિકલ્પ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શંકર સિંહ વાઘેલાએ તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ કહ્યું. વધુમાં ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બુદ્ધપ્રકાશ શર્માએ જન વિકલ્પ મોરચા સમક્ષ પોતાનો ખુલ્લો ટેકો પણ જાહેર કર્યો. અને આગામી ચૂંટણી માટે તેમની પાર્ટીનું ચિહ્ન પણ બાપુને સુપ્રત કર્યું. આ પ્રસંગે શંકર સિંહ વાઘેલા તે વાત કરી જે હાલમાં સમયમાં ભાજપ કે કોંગ્રેસ ખુલ્લા મોંએ કહેવા તૈયાર નથી.

Jan Vikalp

બાપુએ કહ્યું કે જો તેમની પાર્ટી જીતી તો તે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત આપવા અને કોળી, બજાણિયા સહિતના પછાત જાતિને 10 ટકાની અલગ અનામત આપવા કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત કરશે. સાથે જ તેમણે સરકારી પરીક્ષાઓમાં અલગ અલગ ફીના બદલે 100 રૂપિયાની ટોકન ફી લેવાની વાત પણ ઉચ્ચારી. વધુમાં વૃદ્ઘો અને વિધવાઓ માટે 5000 હજાર પેન્શન અને રાહતદરે નોકરી પ્રથા શરૂ કરવાની પણ વાત કરી. આમ હાલ ગુજરાતમાં હાલ જે સળગતા પ્રશ્નો છે જેમ કે રોજગારી, અનામત, કોળી સમાજની માંગો તે તમામ પર બાપુએ મોટી મોટી જાહેરાતો કરી તેમને ચૂંટણીમાં પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X