જન વિકલ્પ આપશે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત
જન વિકલ્પ મોર્ચાએ બિન અનામત વર્ગને 25 ટકા અને કોળી જેવી જાતિઓને અલગથી 10 ટકા અનામત આપવાની વાત કરી છે. જાણો વધુ અહીં.
બુધવારે, લાભપાંચમના શુભ અવસરે જન વિકલ્પ મોર્ચાએ તેનું ચૂંટણી ચિન્હ ટેક્ટર રજૂ કર્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતી જનતાને ત્રીજા વિકલ્પ મળે તે માટે શંકર સિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જન વિકલ્પ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શંકર સિંહ વાઘેલાએ તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ કહ્યું. વધુમાં ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બુદ્ધપ્રકાશ શર્માએ જન વિકલ્પ મોરચા સમક્ષ પોતાનો ખુલ્લો ટેકો પણ જાહેર કર્યો. અને આગામી ચૂંટણી માટે તેમની પાર્ટીનું ચિહ્ન પણ બાપુને સુપ્રત કર્યું. આ પ્રસંગે શંકર સિંહ વાઘેલા તે વાત કરી જે હાલમાં સમયમાં ભાજપ કે કોંગ્રેસ ખુલ્લા મોંએ કહેવા તૈયાર નથી.

બાપુએ કહ્યું કે જો તેમની પાર્ટી જીતી તો તે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત આપવા અને કોળી, બજાણિયા સહિતના પછાત જાતિને 10 ટકાની અલગ અનામત આપવા કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત કરશે. સાથે જ તેમણે સરકારી પરીક્ષાઓમાં અલગ અલગ ફીના બદલે 100 રૂપિયાની ટોકન ફી લેવાની વાત પણ ઉચ્ચારી. વધુમાં વૃદ્ઘો અને વિધવાઓ માટે 5000 હજાર પેન્શન અને રાહતદરે નોકરી પ્રથા શરૂ કરવાની પણ વાત કરી. આમ હાલ ગુજરાતમાં હાલ જે સળગતા પ્રશ્નો છે જેમ કે રોજગારી, અનામત, કોળી સમાજની માંગો તે તમામ પર બાપુએ મોટી મોટી જાહેરાતો કરી તેમને ચૂંટણીમાં પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
