જસદણ સીટ પર કુંવરજી બાવળિયાની જીત 2019માં સૌરાષ્ટ્રમાં વધારશે કોંગ્રેસની મુશ્કેલી
ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત ભાજપ માટે 2019ની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે.
ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત ભાજપ માટે 2019ની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. કોંગ્રેસ માટે આ ગુજરાતમાં મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે કારણકે 2018ની પેટા ચૂંટણીમાં જસદણથી ભાજપની ટિકિટ પર જીતનાર કુંવરજી બાવળિયા થોડા સમય પહેલા સુધી કોંગ્રેસમાં જ હતા. તેમણે જુલાઈ 2018માં કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ ત્યારબાદ ભાજપની સરકારમાં મંત્રી બન્યા અને હવે પેટા ચૂંટણી જીતી ગયા છે. આમ તો જસદણ વિધાનસભા સીટ જીત્યા બાદ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 1 વધી ગઈ અને 99માંથી હવે 100 પર આવી ગઈ છે. આંકડાઓનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરીએ તો આ જીતનો પ્રભાવ 2019 લોકસભા ચૂંટણી સુધી જશે. ભાજપને ઓછોમાં ઓછુ 3 સીટો પર લોકસભામાં કુંવરજી બાવળિયાના પ્રભાવનો ફાયદો મળી શકે છે. આ જ કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ભાજપને સૌરાષ્ટ્રમાં ઘણુ નુકશાન પહોંચાડ્યુ હતુ.

35 વિધાનસભા સીટો-3 લોકસભા ક્ષેત્રો પર પ્રભાવ ધરાવે છે કોળી મતદારો
કુંવરજી બાવળિયા કોળી સમાજના મોટા નેતા માનવામાં આવે છે. સમગ્ર ગુજરાતના મતદારોની દ્રષ્ટિએ જોઈએ તો કોળી સમાજના મતદારો 20 ટકા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બધી સીટોને જોડી દેવામાં આવે તો લગભગ 35 વિધાનસભા ક્ષેત્રોમાં કોળી મતદારોની સીધી અસર છે. કુંવરજી બાવળિયા લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા અને એક એવુ ફેક્ટર રહ્યા જેના કારણે ભાજપ કમસે કમ સૌરાષ્ટ્રમાં તેમને હરાવી શકી નહિ. જે રીતે ગુજરાતના બાકીના ક્ષેત્રોમાં તેણે કોંગ્રેસને છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ખરાબ રીતે હરાવી. આની પાછળનું મોટુ ફેક્ટર રહ્યા કુંવરજી બાવળિયા.

કુંવરજી બાવળિયાની જીત ભાજપને આ સીટો પર આપશે ફાયદો
સૌરાષ્ટ્ર ક્ષેત્રની વાત કરીએ તો અહીં રાજકોટ, પોરબંદર, જામનગર, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ લોકસભા સીટો આવે છે. આ બધી સીટો પર કોળી મતદારો મહત્વના છે. આમાંથી લગભગ ત્રણ લોકસભા સીટો પર કુંવરજી બાવળિયાની સીધી અસર છે. 2009માં રાજકોટ લોકસભા સીટ પર તે પોતે પણ જીતી ચૂક્યા છે.

આ આંકડા બતાવે છે કુંવરજી બાવળિયા છે કેટલા મોટા ફેક્ટર
2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા પરંતુ ગુજરાતમાં વિપક્ષના નેતાનું પદ ન મળવાથી નારાજ થઈને જુલાઈ 2018માં પહેલા કોંગ્રેસના સભ્યપદ અને બાદમાં ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતી. ત્યારબાદ ભાજપે તેમને પાર્ટીમાં શામેલ કરવા સાથે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપી દીધો. કુંવરજી બાવળિયાની જસદણ વિધાનસભા સીટ પર આ છઠ્ઠી જીત છે. તે આ પહેલા પાંચ વાર આ સીટથી ચૂંટાયા છે. તે કોંગ્રેસની ટિકિટ પર સાંસદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. તેમણે 1995, 1998, 2002, 2007 અને 2017 અને હવે 2018 જસદણ સીટ પર જીતનો ઝંડો લહેરાવ્યો છે. 1960માં ગુજરાત રાજ્ય બન્યા બાદથી ભાજપ જસદણ સીટ પર 2018 ચૂંટણી પહેલા માત્ર એક વાર જ જીતી શકી. આ પાછળ પણ કારણ કુંવરજી બાવળિયા હતા. 2009માં તેમણે રાજકોટમાંથી લોકસભા ચૂંટણી લડી હતી. આ કારણે જસદણમાં ભાજપને 2009માં જીત નસીબ થઈ હતી અને હવે 2018માં બાવળિયાએ ભાજપ માટે આ સીટ જીતી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
