સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોની શરૂઆત? જવાહર ચાવડા ફરી એક્ટિવ
સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલનાં સંકેતો જોવા મળી રહ્યા છે. પુર્વ ધારાસભ્ય અને અને ભાજપના ભાજપના નેતા જવાહર ચાવડા ફરીથી એક્ટિવ થતાં રાજકીય ચર્ચાઓમાં ગરમાવો આવ્યો છે. ગોપાલ ઈટાલિયાની વિજય બાદ ચાવડાની રાજકીય ચાલે અનેક અટકળોને જન્મ આપ્યો છે.

ચાવડાએ પોતાની પાર્ટી વિરુદ્ધ જ મોરચું ખોલ્યો હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. તેમણે જુનાગઢમાં સભાઓ શરૂ કરી છે અને રોજગાર સહિત વિવિધ લોકોને અસર કરતા મુદ્દાઓને ફરીથી ઉઠાવ્યા છે. ચાવડાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને લઈ લોકોમાં કૌતૂહલ વધી ગયું છે.
જવાહર ચાવડાનું નામ સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રભાવશાળી ગણાય છે. જો તેઓ ભાજપમાંથી અલગ થાય છે તો તે પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે.
હાલ તેમણે સ્પષ્ટ કોઈ પક્ષ બદલાની જાહેરાત કરી નથી, પરંતુ સક્રિય રાજકીય પગલાંથી ચર્ચા જોર પકડે છે કે તેઓ આગામી દિવસોમાં નવો રાજકીય રસ્તો અપનાવી શકે છે.
જણાવી દઈએ કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાનો હાથ હોવાની પણ અટકળો લાગી રહી છે. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાની નિષ્ક્રિયતાએ ઘણા સવાલો ઉભા કર્યા હતા.












Click it and Unblock the Notifications
