Banaskanthaના જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું
Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં ગુજરાતના વન્યજીવ સંરક્ષણ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યથી લઈને રતનમહાલના જંગલો સુધી વન વિભાગે ખાસ આયોજન હાથ ધર્યું છે.

જેસોર અભયારણ્ય હવે રાષ્ટ્રીય સ્તરે ચમકશે
ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા બનાસકાંઠામાં આવેલા જેસોર રીંછ અભયારણ્યને રીંછના સંવર્ધન માટેના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. આ જાહેરાતથી આ વિસ્તારમાં રીંછોના સંરક્ષણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમના સંવર્ધનને વધુ વેગ મળશે.
રતનમહાલમાં વાઘની હાજરી અને સ્થાનિકોની તાલીમ
બેઠકમાં વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી નોંધાઈ છે. આ વાઘ ત્યાં કાયમી વસવાટ કરે તેવી પ્રબળ સંભાવનાઓને જોતા:
- NTCA (નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી) ના સહયોગથી વાઘ સંરક્ષણ માટે સ્થાનિક લોકોને તાલીમ આપવામાં આવશે.
- સ્થાનિકોની ભાગીદારી વધારીને વન્યજીવ અને માનવ સહ-અસ્તિત્વને મજબૂત કરાશે.
દીપડાઓની વધતી વસ્તી માટે નવું આયોજન
ગુજરાતમાં દીપડાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મુકાયો:
- રેસ્ક્યુ કરેલા અને અન્ય દીપડાઓ માટે એક સુરક્ષિત સ્થળ કે અભયારણ્ય સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
- માનવ-પ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે આધુનિક અભિગમ અપનાવવામાં આવશે.
ટુરિઝમ અને વન્યજીવ વચ્ચે સંતુલન
CM ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે ઈકો-ટુરિઝમના નામે વન્યજીવોની શાંતિ ભંગ ન થવી જોઈએ.
- પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા નવી 'વિઝીટર પોલિસી ગાઈડલાઈન્સ' તૈયાર કરવા આદેશ અપાયા છે.
- વન્ય પ્રાણીઓના કુદરતી રહેઠાણમાં માનવીય ખલેલ ન પહોંચે તે વન વિભાગની પ્રાથમિકતા રહેશે.
મહત્વની દરખાસ્તોને મળી મંજૂરી
આ બેઠકમાં વન્યજીવ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ જેવી કે:
- રોડ-રસ્તા, પાણી પુરવઠો અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક.
- રિન્યૂએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન લાઈન સહિતની 18 દરખાસ્તો પર ચર્ચા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ બેઠકમાં વન વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ સહિત ધારાસભ્ય મહેશ કસવાલા, દેવાભાઈ માલમ અને માલતીબેન મહેશ્વરીએ પણ વન્યજીવ સંરક્ષણ માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
-
Gujarat UCC Bill: લગ્ન-તલાકથી લઈને લિવ-ઈન સુધી, ગુજરાતમાં UCCથી શું-શું બદલાશે -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
