જેઠા ભરવાડ ફરારઃ આઠ પોલીસ કર્મીઓ સેસ્પેન્ડ
જેઠા ભરવાડ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા હોય પંચમહાલના એસપીએ ફરજ પર બેદરકારી દાખવવા બદલ એક પીએસઆઇ અને સાત પોલીસ કોન્સેટબલને સસ્પેન્ડ કર્યા છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે જેઠા ભરવાડને સીટી સ્કેન માટે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ ફરાર થઇ ગયા હતા.
અત્રે એ વાત નોંધનીય છેકે, શહેરાથી પોલીસ જાપ્તામાં જેઠા ભરવાડને ગાંધીનગરની હોસ્પિટલ લવાયા હતા પરંતુ એ અંગે કોઇપણ જાતનો તાલમેલ ગાંધીનગર પોલીસ ખાતે કરવામાં આવ્યો ના હતો, જે પોલીસ ખાતાની બેદરકારી દર્શાવી રહી છે. જેના કારણે હોસ્પિટલમાંથી જેઠા ભરવાડ ફરાર થવામાં સફળ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાની શહેરા બેઠકના ભાજપી ઉમેદવાર અને કોંગ્રેસી ઉમેદવાર છોટુ ભાઇ ભરવાડની વચ્ચે મતદાન કરવાની બાબતમાં તકરાર થઇ હતી. જેમાં બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે મારામારી થઇ હતી. કોંગ્રેસી કાર્યકરોએ જેઠા ભરવાડ પર હોકી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો જેના બચાવમાં જેઠા ભરવાડના અંગરક્ષકે 8 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ હુમલામાં છોટુભાઇ ભરવાડને માથાના ભાગમાં ગોળી વાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ જેઠાભાઇ ભરવાડને પણ ગંભીર ઇજા થવાના કારણે તેમણે ગોધરા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.