ગુજરાતના લોકાયુક્ત બનવા જસ્ટીસ મેહતાનો ઇનકાર

લાંબા સમયથી એવી અટકળો હતી કે ગુજરાતના લોકાયુક્ત તરીકે જસ્ટીસ મેહતા પોતાનું પદ ક્યારે સંભાળશે. પરંતુ આજે તેમણે રાજ્યપાલને આ અંગેનો પત્ર લખીને આ પદ નહીં સંભાળવાનો ઇનકાર કરી દીધો. આના માટે તેમણે પોતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની નિમણૂંક માટે ગુજરાત સરકાર દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હતો, જેને પગલે રાજ્યપાલે જસ્ટીસ આર.એ મેહતાના નામની ભલામણ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આ પદ સંભાળવા માટે નિર્દેશ આપ્યા હતાં, જોકે રાજ્ય રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આમ છતાં અંગત કારણોસર તેઓ આ પદની જવાબદારી લાંબા સમયથી ન્હોતા સંભાળી રહ્યા. આજે આખરે તેમણે રાજ્યપાલને પત્ર લખી આ હોદ્દો નહીં સ્વીકારવાનું જણાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં લોકાયુક્તનું પદ ખાલી છે અને હવે આ પદની ભરતી કરવા માટે નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
