સી.એમ, અને સી.આર સાથે કરી 40 મીનીટ સુધી બેઠક, ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર કર્યા બાદ અચાનકર કમલમ ગંધીનગર ખાતે કાર્યાલયમાં કામ કરતા લોકો સાથે નિરાંતે બેસિને હળવા મૂળમાં ચર્ચા કરી હતી. નર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર કર્યા બાદ અચાનકર કમલમ ગંધીનગર ખાતે કાર્યાલયમાં કામ કરતા લોકો સાથે નિરાંતે બેસિને હળવા મૂળમાં ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રચારમાં જે પાંખી હાજરી જોવા મળે છે તેને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. મોદીએ 40 મીનીટ સુધી ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.

નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીમાં પ્રચારની ધુરા પોતાના હાથમાં લઇને લોકો પાસે ગુજરાતમાં પોતે કરેલા કામોની યાદ અપાવીને મત માંગી રહ્યા છે. સભાાં લોકોની હાજરી જોવા નથી મળતી જેને લઇને મોદી બોટાદની સભા બાદ ગાંધીનગર કમલમાં ખાતે આવી આવી પહોચ્યા હતા.
કમલમાં મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી સહિતના નેતાઓ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચાર દરમિયાન જે રીતે ભીડ નથી આવતી તેને લઇને નારાજગી પણ વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ ચૂટણી લક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ.
ગુજરાતમાં આ વખતે ત્રીપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપે કોગ્રેસ સહિત આપ સામે લડાઇ લડવી પડશે. આ ઉરાંત ગુજરાતમાં હાલ એન્ટીઇન્કમબન્સીનો માહોલ જોવા મળે છે. મોધવારી, કોરોના મોરબી પુલ દુર્ઘટના અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા મહત્વના છે. જે બાજપને હેરાન કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
