કણભા-કુંજાડ મેજર બ્રીજ પર ભારે વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિક NH-47 તરફ ડાયવર્ટ કરાયો
અમદાવાદના કુહા-કઠલાલ-બાલાસિનોર બાયપાસ રોડ ઉપર આવેલા કણભા અને કુંજાડ ગામને જોડતો 60 વર્ષ જૂનો મેજર બ્રીજ હવે માત્ર સામાન્ય વાહનચાલકો માટે ખુલ્લો રહેશે. ભારે વાહનો અને મલ્ટિ-એકસલ વાહનોને ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધના હેતુ શહેરના રસ્તા અને વાહન વ્યવહાર માટે સલામતી જાળવવાનો છે, ખાસ કરીને વરસાદી સિઝનમાં દુર્ઘટનાનો ખતરો ટાળવા આ કાર્યવાહી કરાઈ છે.

અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરની ભલામણને આધારે આ નિર્ણયો લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બ્રીજ અત્યંત જૂનો અને દબાણ સહન શક્તિમાં ઘટાડો અનુભવતો હોવાનું જણાયું છે.
ભારે વાહનો હવે એન.એચ.47 (NH-47) ઉપરથી પોતાના માર્ગે આગળ જઈ શકશે. કણભા અને કુંજાડ ગામ વચ્ચેના બ્રિજના સમાંતર રહેલા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
આ પ્રતિબંધ માત્ર ભારે વાહનો અને મલ્ટિ-એકસલ વાહનો માટે જ લાગુ પડશે. અન્ય વાહનો સામાન્ય રીતે આ બ્રીજ પરથી પસાર થઈ શકશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
