કાંકરિયા ખાતે આધુનિક બાલવાટિકાનું લોકાર્પણ, જાણો બાળકો માટે શું છે ખાસ?

બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ બાલવાટિકાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે આ બાલવાટિકાનું રિડેવલપમેન્ટ, મોર્ડનાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.

kankaria balvatika

ઉલ્લેખનીય છે કે, AMCના ઝૂ વિભાગ હેઠળની આ બાલવાટિકાનું ઉદ્ઘાટન સૌપ્રથમ ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું. સમયની સાથે બદલાતી જરૂરિયાતો અને બાળકોની વર્તમાન પેઢીની અપેક્ષાઓને પહોંચી વળવા માટે આ બાલવાટિકાનું સંપૂર્ણપણે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. આ PPP મોડેલ અંતર્ગત બાળકોના મનોરંજનની સાથે તેમના જ્ઞાનવર્ધક વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

નવીનકરણ બાદ, બાલવાટિકા બાળકો અને વાલીઓ બંને માટે આનંદ અને મનોરંજનનું કેન્દ્ર બનશે. અહીં પ્રવેશ ટિકિટ સાથે કેટલીક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

  • કોઈન હાઉસ: બાળકો માટે રસપ્રદ અનુભવ
  • કાચઘર (એ.સી.): ઠંડકભર્યા વાતાવરણમાં વિવિધ પ્રદર્શનોનો આનંદ
  • શુ હાઉસ: અનોખું આકર્ષણ
  • લેન્ડસ્કેપ ગાર્ડન: પ્રકૃતિની ગોદમાં શાંતિપૂર્ણ સમય વિતાવવા માટે
  • સેલ્ફી ઝોન: યાદગાર પળો કેદ કરવા માટે
  • ગ્વોલ સ્ટેશન: બાળકો માટે રમતગમતનો અનોખો અનુભવ

આ સુવિધાઓ બાળકોને શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખવામાં મદદ કરશે. આ નવીન બાલવાટિકા અમદાવાદના બાળકો માટે એક નવું અને સકારાત્મક સ્થળ પૂરું પાડશે એવી અપેક્ષા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X