બીજેપી નેતા નકવીએ કહ્યું 'સિતારો સે આગે જહાં ઔર ભી હૈ'

નવી દિલ્હી, 8 મે : કર્ણાટકમાં મુરઝાતા કમળને જોઇને બીજેપીમાં નીરાશાની લહેર પ્રસરી ગઇ છે. અત્યાર સુધી વિધાનસભા ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કર્ણાટકમાં બીજેપી ફરીથી સરકાર બનાવવામાં ક્યાંયથી પણ દેખાઇ રહી હોય, તેનું સત્તાથી બહાર થવું લગભગ નક્કી છે. આની પર બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે સંપૂર્ણ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી એ વાતની સમીક્ષા કરશે કે અમારાથી ચૂંક ક્યા થઇ અને ક્યા રણનીતિમાં ભૂલ થઇ.

તેમણે જણાવ્યું કે બીજેપીને કર્ણાટકમાં આશા કરતા ઓછી બેઠકો મળી છે જે દુ:ખદ છે અને એ વાતની પાર્ટી સમીક્ષા કરશે. તેમણે જણાવ્યું કે કર્ણાટકમાં ચૂંટણીના પરિણામોથી તેમને નિરાશા થઇ છે પરંતુ તેનો અર્થ એ નથી કે અમે હાર માનીને બેસી ગયા હોઇએ.

તેમણે એ વાતની આશા વ્યક્ત કરતા જણાવ્યું કે આવનારા દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેમાં બીજેપી સારુ પ્રદર્શન કરશે. તેમણે શાયરી કહીને જણાવ્યું કે 'સિતારો સે આગે જહાં ઔર ભી હૈ'.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજસ્થાન અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X