વિરપુરથી કેશુભાઇ પટેલે શરૂ કરી પરિવર્તન સંદેશ યાત્રા
ગુજરાત પરિવર્તન પાર્ટીના સુપ્રિમો કેશુભાઇ પટેલે કહ્યું છે, " આગામી 26 જાન્યુઆરીએ મોદી રાજ્યમાં તિરંગો નહીં લહેરાવી શકે, કારણ કે આવાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો પરાજય થવાનો છે."
રાજકોટના 60 કિ.મી દૂર આવેલા ધાર્મિક સ્થળ વિરપુર ખાતે ઉપસ્થિત માનવમેદનીને સંબોધિત કરતા કેશુભાઇએ કહ્યું, " મોદીએ રાજ્યની જનતાને ભયના વાદળ હેઠળ રાખી દીધી છે, કારણ કે અહીં કોઇપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા નથી. તે સમાજને નુક્સાન પહોંચાડી રહ્યાં છે."
નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇએ મોદી વિરુદ્ધ બાંયો ચઢાવીને ભાજપ સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો અને પોતાની નવી પાર્ટી લોન્ચ કરી છે. આ સાથે જ તેમણે 'પરિવર્તન સંદેશ યાત્રા' શરૂ કરી મોદીને ગુજરાતની સત્તા પરથી હટાવવાનું નક્કી કર્યું છે. તેમની યાત્રા પાંચ ચરણમાં રાજ્યમાં ફરશે. જેનું પ્રથમ ચરણ વિરપુરથી શરૂ થશે જે રાજકોટ, જૂનાગઢ, અમેરલી અને જામનગર જિલ્લામાં ફરશે.