For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરપુરથી કેશુભાઇ પટેલે શરૂ કરી પરિવર્તન સંદેશ યાત્રા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

keshubhai patel
રાજકોટ, 28 સપ્ટેમ્બરઃ ભાજપના પૂર્વ નેતા અને ગુજરાતના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે વિરપુર ખાતેથી પોતાની રાજકિય યાત્રાની શરૂઆત કરી છે. યાત્રાના પ્રારંભિક દિવસે જ કેશુભાઇએ હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર તિખા પ્રહારો કર્યાં હતા અને તેમને સત્તા પરથી ઉખાડી ફેંકવા આહવાન કર્યું હતું.

ગુજરાત પરિવર્તન પાર્ટીના સુપ્રિમો કેશુભાઇ પટેલે કહ્યું છે, " આગામી 26 જાન્યુઆરીએ મોદી રાજ્યમાં તિરંગો નહીં લહેરાવી શકે, કારણ કે આવાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો પરાજય થવાનો છે."

રાજકોટના 60 કિ.મી દૂર આવેલા ધાર્મિક સ્થળ વિરપુર ખાતે ઉપસ્થિત માનવમેદનીને સંબોધિત કરતા કેશુભાઇએ કહ્યું, " મોદીએ રાજ્યની જનતાને ભયના વાદળ હેઠળ રાખી દીધી છે, કારણ કે અહીં કોઇપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા નથી. તે સમાજને નુક્સાન પહોંચાડી રહ્યાં છે."

નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇએ મોદી વિરુદ્ધ બાંયો ચઢાવીને ભાજપ સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો અને પોતાની નવી પાર્ટી લોન્ચ કરી છે. આ સાથે જ તેમણે 'પરિવર્તન સંદેશ યાત્રા' શરૂ કરી મોદીને ગુજરાતની સત્તા પરથી હટાવવાનું નક્કી કર્યું છે. તેમની યાત્રા પાંચ ચરણમાં રાજ્યમાં ફરશે. જેનું પ્રથમ ચરણ વિરપુરથી શરૂ થશે જે રાજકોટ, જૂનાગઢ, અમેરલી અને જામનગર જિલ્લામાં ફરશે.

English summary
Former BJP veteran Keshubhai Patel today launched his political yatra and vowed to oust him from power in the coming assembly election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X