કિરણ બેદીએ પોતે જ આ તસવીર ટ્વિટ કેમ કરી? જાણો અહીં
કિરણ બેદીને એક પોસ્ટરમાં બતાવવામાં આવી એડાલ્ફ હિટલર. એટલું જ નહીં કિરણ બેદીએ આ પોસ્ટર પોતે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કર્યું છે પોસ્ટ. ત્યારે જાણો અહીં શું છે મામલો.
પોંડીચેરીના લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદીએ ગુરુવારે એક પોસ્ટરના ફોટોને ટ્વિટ કર્યું. જેમાં તેમના ચહેરાને જર્મનીના એડોલ્ફ હિટલર જેવો દેખાડવામાં આવ્યો છે. પોસ્ટરને ક્રોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પોસ્ટરને કેન્દ્રીય સરકાર અને ઉપ રાજ્યપાળની વિરુદ્ધ નિંદા આંદોલન અને વિધાયકોની નામાંકન પ્રક્રિયા માટે બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટ ટ્વિટને ટ્વિટ કરતા બેદીએ બે હાથ જોડેલા ઇમોજીનો ઉપયોગ કર્યો છે. જે બાદ તેમણે પોસ્ટર સીરીઝ લખીને એક બીજી ટ્વિટ પણ કરી છે જેમાં તેમને મહાકાલીનું સ્વરૂપ તરીકે દેખાડવામાં આવ્યા છે. જેમાં તેમણે પોંડિચેરીના સીએમનું માથું પણ મહાકાળીના સ્વરૂપમાં હાથમાં પકડ્યું હોય તેમ બતાવવામાં આવ્યું છે.

આ પછી પોંડિચેરીની કોંગ્રેસ સરકાર અને લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદી વચ્ચે એક વિવાદ ઊભો થઇ ગયો છે. કોંગ્રેસે આ દ્વારા લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદી પર નિશાનો સાંધવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વિધાનસભાના સદસ્યોના રૂપે ત્રણ લોકોને નામાંકિત કરવામાં આવ્યા હતા. જેમણે 4 જુલાઇએ શપથગ્રહણ કરી હતી. પોંડિચેરી વિધાનસભામાં સામેલ આ ત્રણ સદસ્યો છે વી સૈમિનાથન, જે પોંડિચેરીના ભાજપ અધ્યક્ષ છે, કેજી શંકર જે પોંડિચેરીના ભાજપા કોષાધ્યક્ષ છે અને એસ સેલ્વગણપથી જે પણ ભાજપના જ સદસ્ય છે. આ વાત પર પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને અન્ય કોંગ્રેસ વિધાયકો વિરોધ કર્યો હતો. વધુમાં લેફ્ટિનેન્ટ ગવર્નર તરીકે કિરણ બેદીને નીકાળવામાં આવે તેવી પણ માંગ ઊઠી હતી. જે બાદ પોંડિચેરીમાં આ રીતનો પોસ્ટર વોર કિરણ બેદીના વિરુદ્ધમાં શરૂ કરવામાં આવ્યો છે.
Part of a series.. pic.twitter.com/zzsdvhuMcw
— Kiran Bedi (@thekiranbedi) July 21, 2017
— Kiran Bedi (@thekiranbedi) July 20, 2017
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
