For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાબેન કોડનાની પહોંચ્યાં હાઇકોર્ટની શરણે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mayaben-kodnani
અમદાવાદ, 18 એપ્રિલ: વર્ષ 2002 નરોડા પાટીયા રમખાણ કેસમાં આજીવન કારાવાસની સજા મેળવનાર રાજ્યની પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની અપીલ પર ચૂકાદો આવવા સુધી સજાને સ્થગિત કરવા તથા જામીન આપવાની ગુહાર લગાવશે.

હાર્દિક દવેના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અપીલ પર સુનાવણીમાં લાંબો સમય લાગી શકે છે માટે સજાને સ્થગિત કરવામાં આવવી જોઇએ. ફરિયાદી પક્ષે પોતાની અપીલ દાખલ કરી નથી અને સુનાવણી પુરી થવામાં લાંબો સમય લાગી શકે છે. આ પહેલાં સુનાવણીમાં પણ દસ વર્ષનો સમય લાગી શકે છે.

અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે માયાબેન કોડનાનીનું ફરાર થઇ જવાનું જોખમ નથી કારણ તે સમાજમાં મોટા વ્યક્તિઓ સાથે કેટલાક વર્ષોથી શહેરમાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2012માં અમદાવાદના સ્પેશિયલ કોર્ટે માયાબેન કોડનાનીને 28 વર્ષઈન સજા સંભળાવી હતી. માયાબેન કોડનાની અમદાવાદના છેવાડે નરોડા પાટિયામાં 2002ના રમખાણો દરમિયાન 97 લોકોના મોતના ઘાટ ઉતારવાના દોષી ગણવામાં આવ્યાં છે, જ્યારે બાબૂ પટેલ બજરંગીને કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી હતી. ગુજરાત સરકાર આગામી અઠવાડિયે બાબુ બજરંગી અને માયાબેન કોડનાનીને ફાંસી સજા આપવામાં આવે તે માટે અપીલ દાખલ કરશે.

English summary
Maya Kodnani sentenced to life in 2002 Naroda Patiya riot case, has filed a petition in the Gujarat High Court seeking bail and suspension of sentence till her appeal is decided.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X