કચ્છ: ભારત-પાકિસ્તાન બોર્ડર પર 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઇ છે. આ આંચકો બપોરે 3 વાગ્યે 15 મિનિટે નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ આંતરરાષ્ટ્રીય સીમાથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે. ખાવડા,
કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઇ છે. આ આંચકો બપોરે 3 વાગ્યે 15 મિનિટે નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ આંતરરાષ્ટ્રીય સીમાથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે. ખાવડા, લખપત, અબડાસા અને ભુજ વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. ભુકંપ આવતા લોકોની ઘરની બહાર નીકળ્યા હતા.
કચ્છમાં આજે વહેલી સવારે 7.7 મિનિટે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું. આમ નવેમ્બરની શરૂઆતથી જ કચ્છમાં આ ત્રીજો ભૂકંપનો આંચકો છે.
આસામમાં દિવાળીના દિવસે સવારે 10.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના તેજપુરથી 35 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છેઆસામમાં દિવાળી 2021ના દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલીજીના અનુસાર આ ભૂકંપ ગુરુવારે સવારે 10.19 વાગ્યે તેજપુરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં 35 કિમી દૂર વિસ્તારમાં આવ્યો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. જો કે, હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઘણી જગ્યાએ લોકો ઘરની બહાર આવી ગયાં હતાં.