સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીએ 36 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુર્હુત કર્યું
સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી આનંદીબહેને 36 કરોડના ખર્ચે બનાવેપા રેલ્વે ઓરબ્રિજ તથા 2.77 કરોડન ખર્ચે નવનિર્માણ કરવામાં આવેલા પરિસરનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ મુખ્યમંત્રીના હસ્તે નગરસેવા સદન, પોલીસ આવાસ અને સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
36.21 કરોડના ખર્ચે તૈયાર થનાર ઓવરબ્રીજના કામનું ખાતમૂર્હૂત થયું હતું. રૂપિયા 2.77 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુરેન્દ્રનગર નગરપાલિકાના નવા સેવાસદન,5.27 કરોડના ખર્ચે 72 પોલીસ આવાસ, 8.09 કરોડના ખર્ચે વઢવાણના ખેરાળી અને ધ્રાંગધ્રાના નગરા ખાતે 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ રૂપિયા 3.69 કરોડના ખર્ચે તૈયાર થનાર 20 હજાર પાણીના કનેકશન આપવાના કાર્યનું ખાતમૂર્હૂત.
લખતર, વઢવાણ અને મૂળી તાલુકામાં રૂપિયા 40 કરોડના ખર્ચે તૈયાર થનાર રસ્તાનું ખાતમૂર્હૂત પણ મુખ્યમંત્રીએ કર્યું છે. આ પ્રસંગે લખતર, પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાની દૂધ સંજીવની યોજનાનો શુભારંભ પણ મુખ્યમંત્રીના હસ્તે થયો હતો.