Crime News : 5 વર્ષથી ફરાર ગુનેગારને એલસીબીએ ભાણવડથી દબોચ્યો
Crime News: ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
Crime News: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર કે. કે. ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર બી. એમ દેવમુરારી તથા એલસીબી સ્ટાફના એએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ, લાખાભાઇ પીંડારીયા, પોલીસ.કોન્સ્ટેબલ, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ નાસતા ફરતા આરોપી અંગે જરૂરી વર્ક આઉટમાં હતા.

આ દરમયિયાન એલસીબી ટીમના એએસઆઇ મસરીભાઈ ભારવાડીયાબ તથા પોલીસ.હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા નાઓને મળેલ હકીકત આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામેના નીચે જણાવેલા નાસતા ફરતા આરોપીને બુધવારના રોજ ખંભાળીયા ખાતેથી એએસઆઇ મસરીભાઈ ભારવાડીયાએ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી છે.
ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર પકડાયેલા આરોપીનું નામ શંકરસીંહ ભવરસીંહ રાઠોડ જાતે રાજપુત ઉવ 85 છે. જે ખેડૂત છે અને તે બી જે એસ કોલોની, જોધપુર રાજ્ય રાજસ્થાન છે. આ પકડાયેલ આરોપી વિરુદ્ધ દેવભૂમિ દ્વારકામાં દાખલ થયેલા પ્રોહિબીશનના ગુનાની માહિતી નીચે જણાવ્યા અનુસાર છે.
- ભાણવડ પોસ્ટે - 8
- કલ્યાણપુર પોસ્ટ - 2
- દ્વારકા પોસ્ટ - 1
- કુલ - 11 ગુના
આ કાર્યવાહી એલસીબી PI કે. કે. ગોહિલની સુચના મુજબ એલસીબી સ્ટાફના PSI બી. એમ. દેવમુરારી, તથા ASI મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા, કોન્સ્ટેબલ ગોવિંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ જોડાયા હતા.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
