Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના રાજભવનનું નામ બદલાયુ, હવે આ નામે ઓળખાશે

ગુજરાતના રાજભવનનું નામ હવે લોકભવન રહેશે. જનકેન્દ્રી શાસનને પ્રોત્સાહન આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ જાહેરાત કરી છે.

નવા લોકભવન માત્ર રાજ્યપાલના નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું સીમિત નહીં રહે. તેને રાજ્યના નાગરિકો – વિદ્યાર્થીઓ, સંશોધકો, ખેડૂતો, સિવિલ સોસાયટી અને સામાજિક જૂથો સાથે સંવાદ અને સહયોગના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારપૂર્વક જણાવ્યું કે, લોકભવનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે લોકો સર્વોપરી છે. આ સંસ્થાએ સરકાર અને નાગરિકો વચ્ચે સેવા તથા સહયોગનો સેતુ બનવું જોઈએ. રાજભવન માત્ર તેની બંધારણીય જવાબદારીઓ પૂરતું સીમિત ન રહે; સાચું 'લોકભવન' એ છે જે સમાજના કલ્યાણ, આકાંક્ષાઓ અને ચિંતાઓ સાથે સક્રિયપણે જોડાયેલું રહે.

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજભવને જનકલ્યાણ માટે અનેક પહેલ કરી છે. જેમાં પ્રાકૃતિક ખેતી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણ, યુવાનો-સંશોધકો સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિજાતિ વિકાસ કાર્યક્રમો પ્રમુખ છે. આ નામ બદલવાથી નાગરિક કેન્દ્રિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્રઢ બની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X