ગુજરાતના રાજભવનનું નામ બદલાયુ, હવે આ નામે ઓળખાશે
ગુજરાતના રાજભવનનું નામ હવે લોકભવન રહેશે. જનકેન્દ્રી શાસનને પ્રોત્સાહન આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ જાહેરાત કરી છે.

નવા લોકભવન માત્ર રાજ્યપાલના નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું સીમિત નહીં રહે. તેને રાજ્યના નાગરિકો – વિદ્યાર્થીઓ, સંશોધકો, ખેડૂતો, સિવિલ સોસાયટી અને સામાજિક જૂથો સાથે સંવાદ અને સહયોગના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારપૂર્વક જણાવ્યું કે, લોકભવનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે લોકો સર્વોપરી છે. આ સંસ્થાએ સરકાર અને નાગરિકો વચ્ચે સેવા તથા સહયોગનો સેતુ બનવું જોઈએ. રાજભવન માત્ર તેની બંધારણીય જવાબદારીઓ પૂરતું સીમિત ન રહે; સાચું 'લોકભવન' એ છે જે સમાજના કલ્યાણ, આકાંક્ષાઓ અને ચિંતાઓ સાથે સક્રિયપણે જોડાયેલું રહે.
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજભવને જનકલ્યાણ માટે અનેક પહેલ કરી છે. જેમાં પ્રાકૃતિક ખેતી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણ, યુવાનો-સંશોધકો સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિજાતિ વિકાસ કાર્યક્રમો પ્રમુખ છે. આ નામ બદલવાથી નાગરિક કેન્દ્રિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્રઢ બની છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
