Lok sabha Election 2024: ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
Lok sabha Election 2024: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના 500 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુવા પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કોંગ્રેસના 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
જેમાં કોંગ્રેસના ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુવા પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ડીસા, પાલનપુર, ધાનેરા બાદ બનાસકાંઠાના દાંતા તાલુકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.
તેમજ જૂનાગઢ બેઠક પરથી હીરા જોટવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે જશપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
