Lok Sabha Election : છોટુ વસાવાની મોટી જાહેરાત, નવા સંગઠન સાથે ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા છોટુ વસાવાએ મોટી જાહેરાત કરી છે.

ભરૂચમાં લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાએ તેમના દિકરાએ બીજેપી જોઈન કરતા નવા સંગઠનની જાહેરાત કરી છે.
છોટુ વસાવાએ તેના નવા સંગઠનનું નામ ભારત આદિવાસી સેના રાખ્યુ છે અને તેના નામે જ તેઓ લોકસભા ચૂંટણી લડી શકે છે. આ બાબતે હજુ તેમને જાહેરાત કરી નથી. ટુંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા સીટ પર લડાઈ રસપ્રદ બની રહી છે. એક તરફ ચૈતર વસાવાને સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ આ સીટ પરથી બીજેપીએ મનસુખ વસાવાને ફરીથી ટિકીટ આપી છે.
એક તરફ ઈન્ડિયા ગઠબંધન આ સીટ પર કબ્જો કરવા પુરી તાકાત લગાવશે તો બીજી તરફ બીજેપી આ સીટ જાળવવા માટે કોઈપણ રસ્તો લઈ શકે છે.












Click it and Unblock the Notifications
