લોકસભા ચૂ્ંટણી 2019: છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો
છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો
લોકસભા સીટ છોટા ઉદેપુરની વાત કરીએ તો પહેલી વખત આ સીટ પર 1957માં ચૂંટણી થઈ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવા અને કોંગ્રેસના ઉમેદવાર નારણભાઈ રાઠવા વચ્ચે ટક્કર થઈ હતી. રામસિંહ રાઠવાએ નારણભાઈ રાઠવાને 179,729 વોટથી હરાવ્યા હતા. આ જીત સાથે લોકસભા 2014માં છોટા ઉદેપુર સીટ પર ભાજપનો વોટશેર +9.04 ટકાથી વધ્યો હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર -3.76 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 67 વર્ષીય ઉમેદવાર રામસિંહ રાઠવાને 607,916 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નારણભાઈ રાઠવાએ 428,187 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.
આ જીત સાથે જ રામસિંહ રાઠવા ત્રીજી વખત છોટા ઉદેપુરથી સાંસદ બન્યા. છોટા ઉદેપુર સીટ પર સાંસદ રામસિંહ રાઠવાની આ ત્રીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 28 ડિબેટમાં ભાગ લીધો પરંતુ પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં તેમણે 482 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 89% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી થોડી વધુ છે.
તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો
જો છોટા ઉદેપુરના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1966 સુધી છોટા ઉદેપુર લોકસભા સીટ બની જ નહોતી. 1967માં પહેલી વખત આ સીટ પર ચૂંટણી થઈ અને કોંગ્રેસના મનુભાઈ પટેલ ચૂંટાયા. 1971માં કોંગ્રેસના પ્રભુદાસ પટેલ ચૂંટાયા, જ્યારે 1977, 1980 અને 1984માં કોંગ્રેસના અમરસિંહ રાઠવા ચૂંટાયા. 1989, 1991, 1996 અને 1998માં કોંગ્રેસના નારણભાઈ રાવત ચૂંટાયા. 1999માં ભાજપના રામસિંહ રાઠવા ચૂંટાયા. 2004માં આ સીટ પરથી કોંગ્રેસના નારણભાઈ રાઠવા અને 2009 તથા 2014માં રામસિંહ રાઠવા આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા.
હવે જો છોટા ઉદેપુર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં છોટા ઉદેપુર સીટ પર કુલ 1,536,305 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 798,160 અને મહિલા મતદાતા 738,145 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 593,192 પુરુષ મતદાતાઓ અને 507,350 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,100,542 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,290,199 છે જેમાંથી 86.93% વસ્તી ગ્રામીણ જ્યારે 13.07% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 3.23 ટકા એસસી અને 56.27 ટકા એસટીની વસાહત છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈતિહાસ