લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ નવસારી વિશે
લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ નવસારી વિશે
ગુજરાતની લોકસભા સીટ નવસારી પર હાલમાં ભારતીય જનતા પાર્ટીનો કબ્જો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર મકસુદ મિર્ઝા વચ્ચે ટક્કર થઈ હતી. ભાજપના 63 વર્ષીય ઉમેદવાર સીઆર પાટીલની 820,831 જેટલા જંગી વોટથી જીત થઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મકસુદ મિર્ઝાને 262,715 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.
નવસારી સીટ પર સાંસદ સીઆર પાટીલની આ બીજી ટર્મ છે. પોતાની બીજી ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદમાં કુલ 6 ડિબેટમાં ભાગ લીધો હતો. તેમણે 6 પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યાં હતા. સંસદમાં તેમણે 292 સવાલો પૂછ્યા હતા. સદનમાં સીઆર પાટીલની 90 ટકા હાજરી રહી.
તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો
જો નવસારીના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો આ મતવિસ્તાર 2008 માં સંસદીય મતદારક્ષેત્રોની મર્યાદાના અમલીકરણના ભાગરૂપે બનાવવામાં આવી હતી. પ્રથમ વખત વર્ષ 2009 માં ચૂંટણીઓ યોજાઈ હતી અને સંસદના પ્રથમ સભ્ય (એમપી) ભારતીય જનતા પક્ષના ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સીઆર પાટીલ) હતા. 2014 ની તાજેતરની ચૂંટણીઓમાં, પાટીલ આ મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
હવે જો નવસારી સીટ પરના મતદાતાઓની વાત કરીએ તો લોકસભા 2014માં કુલ 1,764,622 મત નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 972,090 અને મહિલા મતદાતા 792,532 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 649,206 પુરુષ મતદાતાઓ અને 511,541 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,160,747 મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે નવસારી લોકસભા મતવિસ્તારની વસતી 3,199,734 છે જેમાંથી 18.83% વસ્તી ગ્રામીણ જ્યારે 81.17% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 2.47 ટકા એસસી અને 12.78 ટકા એસટી મતદાતાઓ છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: વડોદરા મતવિસ્તારનો ઈતિહાસ જાણો