Love Jihad in kutch: કચ્છ લવ જેહાદ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, આ રીતે આપતા હતા અંજામ
Love Jihad in kutch: ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં મુસ્લીમ ધર્મના અસામાજીક યુવાનો હિન્દુ યુવતી અને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવે છે. જે બાદ તેમના પર બળાત્કાર કરે છે.
આ કર્યા બાદ તેમનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવે છે. આ એક દેશ વ્યાપી કૌભાંડ છે જેનાથી હિન્દુ યુવતી અને મહિલાઓએ ચેતીને રહેવાની જરૂર છે. મુસ્લીમ ધર્મના અસામાજિક તત્વો હિન્દુ નામનો ઉપયોગ કરીને યુવતીને ફસાવે છે.
થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવેલા લવ જેહાદ કેસમાં કચ્છ પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કચ્છ પોલીસ દ્વારા મુખ્ય આરોપી ઝિયાદને મદદ કરવા બદલ કાસમ હિંગોરજાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઝિયાદ એક હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ આ મહિલાનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.
મહિલાનું બળજબરીથી ધર્માંતરણ કરાવતા પહેલા ઝિયાદે તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો.
ઝિયાદ લતીફ નામના વ્યક્તિએ મહારાષ્ટ્રના પુણેના જીગર તરીકે હિન્દુ નામ ધારણ કરીને આ હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અને તેનો પરિવાર મુંબઈમાં રહેતો હતો, પરંતુ આરોપીઓ દ્વારા થતી હેરાનગતિને કારણે તેઓ માંડવી તાલુકાના ગોધરા ગામમાં રહેવા આવી ગયા હતા.
પીડિતાના સંપર્કમાં રહેવા માટે, ઝિયાદે ગોધરામાં પણ તેનો સંપર્ક કર્યો, જ્યાં અન્ય આરોપી અલ્તાફે (મુંબઈથી) તેને કાસમ ઉસ્માન હિંગોરજા સાથે પરિચય કરાવ્યો હતો.
આ પછી ઝિયાદ પૂણેથી ગોધરા પહોંચ્યો, જ્યાં કાસમ હોટલ શિવશક્તિમાં તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. હોટલમાં કામ કરતા કાસમે ઝિયાદને પીડિતાના ઘરે પહોંચવામાં મદદ કરી હતી.
બંને શકમંદોને કોર્ટમાં રજૂ કરી પાલારા જેલમાં મોકલી દેવાયા છે. આ દરમિયાન મુંબઈથી મદદ આપનાર અલ્તાફને પકડવા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. કાસમને તેની મદદ કરવાના બદલામાં 4000 રૂપિયા આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 20 ઓગસ્ટના રોજ પણ લવ જેહાદનો ગુનો નોંધાયો હતો. જેમાં ભુજની એક હિન્દુ મહિલા પર બળાત્કાર અને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અપનાવવાના પ્રયાસના આરોપમાં 40 વર્ષીય રિક્ષા ડ્રાઈવર યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 31 વર્ષીય મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે આરોપી સુલતાન સિદ્દી નામના રિક્ષાચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સુલતાન સિદ્દી પર ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 હેઠળ બળાત્કાર, ઇજા પહોંચાડવા, અપમાન કરવા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
