Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખુલ્લામાં શૌચથી મુક્ત થયુ ભારત, પીએમ મોદીએ કર્યુ એલાન

મહાત્મા ગાંધીની 150મી જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા જ્યાં તેમણે દેશને ખુલ્લામાં શૌચથી મુક્તનુ એલાન કર્યુ.

મહાત્મા ગાંધીની 150મી જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા જ્યાં તેમણે દેશને ખુલ્લામાં શૌચથી મુક્તનુ એલાન કર્યુ. આ પહેલા સાબરમતી આશ્રમમાં પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનુ માલ્યાર્પણ કર્યુ. ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ 150 રૂપિયાના ચાંદીના સિક્કા જાહેર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે તમે બધાએ જે રીતે પુરુષાર્થ કર્યો છે, બાપૂનુ સપનુ સાકાર કરવા માટે મહેનત કરી છે. હું આપ સૌને નમન કરુ છુ. દેશભરમાંથી જે સરપંચ આવ્યા છે, તમે લોકો ગરબા જોવા ગયા કે નહિ. બાપૂની જયંતિનો ઉત્સવ તો આખી દુનિયા મનાવી રહી છે. થોડા દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ટપાલ ટિકિટ જાહેર કરી અને આજે અહીં પણ ટપાલ ટિકિટ અને સિક્કા પણ જાહેર કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યુ કે બાપૂએ સ્વચ્છતાગ્રહ અને સત્યાગ્રને નવુ રૂપ આપ્યુ હતુ. આ આપણા સૌના માટે ખુશીનો મોકો છે. આજે ગ્રામીણ ભારતે પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત કરી લીધુ છે. આ સફળતાની વાત છે, બધા સરપંચો, સ્વચ્છતાગ્રહીઓને અભિનંદન.

 આખુ વિશ્વ આનાથી ચક્તિ

આખુ વિશ્વ આનાથી ચક્તિ

પીએમ મોદીએ કહ્યુ કે મને લાગી રહ્યુ છે કે ઈતિહાસ પોતાનામાં પુનરાવર્તિત થઈ રહ્યો છે જે રીતે બાપૂના આહ્વવાન પર દેશવાસી સત્યાગ્રહ માટે આગળ આવ્યા હતા એ જ રીતે સ્વચ્છતાગ્રહ માટે કરોડો ભારતવાસી આગળ આવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે સ્વચ્છતાના આ અભિયાને બોલિવુડથી લઈને રમતગમત સુધી દરેક જણને જોડ્યુ. દરેક પ્રેરિત અને પ્રોત્સાહિત થયા. આજે આખુ વિશ્વ આનાથી ચક્તિ છે. આજે ગ્રામીણ ભારતે પોતને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યુ છે. સ્વેચ્છા, સ્વપ્રેરણથી અને જનભાગીદારીથી ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ છે અને સફળતાનો સ્ત્રોત પણ છે. આજે મને સંતોષ થાય છે કે સ્વચ્છ ભાપત અભિયાન સ્વચ્છતાની ઉણપના કારણે ગરીબોને થતી બિમારીઓથી બચાવવવાનુ કામ પણ કરી રહ્યુ છે.

આપણે જે મેળવ્યુ છે તે માત્ર એક પડાવ

પીએમ મોદીએ કહ્યુ કે આપણે જે મેળવી લીધુ છે તે પૂરતુ છે શું. આજે આપણે જે મેળવ્યુ છે તે માત્ર એક પડાવ છે. સ્વચ્છ ભારત માટે નિરંતર અમારા પ્રયત્નો ચાલુ છે. જે લોકો છૂટી ગયા છે તેમને આ કાર્યક્રમથી જોડવાના છે. જળજીવન મિશનથી લોકોને હવે જોડવાના છે. સરકારે જળ જીવન મિશન પર સાડા 3 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. દેશવાસીઓની સક્રિય ભાગીદારી વિના આ સુનિશ્ચિત કરવાનુ સંભવ નહોતુ. વર્ષ 2022 સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દેશને મુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. કરોડો લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ નહિ કરવાનો નિર્ણય પણ કર્યો છે.

આપણે શરૂઆત પોતાનાથી કરવી પડશે

પીએમ મોદીએ કહ્યુ, આ આંદોલમાં આપણે શરૂઆત પોતાનાથી કરવી પડશે, સ્વચ્છતાના સફરમાં આપણી પાસે આ જ એકમાત્ર રસ્તો છે. આજે આખી દુનિયા સ્વચ્છ ભારત અભિયાનના આપણા મૉડલથી શીખવા ઈચ્છે છે. પૂજ્ય બાપૂ સ્વચ્છતા સર્વોપરિ માનતા હતા. ગાંધીજી આરોગ્યને સાચુ ધન માનતા હતા અને ઈચ્છતા હતા કે દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે. અમે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આ કરવાની કોશિશ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X