જાણો તમારા ઉમેદવારને: ગાંધીધામથી ભાજપના માલતીબેન મહેશ્વરી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીધામ સીટ પરથી ભાજપના માલતીબેન મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે. માલતીબેન મહેશ્વરી વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગાંધીધામ વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે માલતીબેન મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે. તો માલતીબેન મહેશ્વરી વિષે થોડુ જાણીએ. આ વિધાનસભા સીટ 2012માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. એસ.સી માટે આરક્ષિત આ સીટ પર આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણે પક્ષો વચ્ચે મુકાબલો થવાનો છે. જેમા ભાજપના માલતીબેન મહેશ્વરી, કોંગ્રેસના કિશોરભાઈ પિંગોલ અને આપના ગોવિંદ દનિચા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે.

આ વિધાનસભા સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2012ની ચૂંટણીમાં અહી ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપના રમેશભાઈ મહેશ્વરીએ કોંગ્રેસના જયશ્રીબેન ચાવડાને ભારે મતોથી હરા આપી હતી. આ વર્ષે ભાજપની 'નો રિપીટ' ની નીતિને ધ્યાનમાં રાખતા માલતીબેનને તક આપી છે. માલતીબેન પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા ઊભા રહ્યા છે. તેઓ ભાજપના ઘણા જૂના કાર્યકર્તા છે.












Click it and Unblock the Notifications
