અમદાવાદમાં આજે એકમંચ પર જોવા મળશે મનમોહન અને મોદી
ગાંધીનગર, 29 ઓક્ટોબર: અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એકમંચ પર જોવા મળશે. બંને સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સંગ્રહાલયના ઉઘાટન સમારોહમાં ભાગ લેશે. એના બે દિવસ બાદ 31 ઓક્ટોબરના નરેન્દ્ર મોદી સરદાર સરોવર બંધ નજીક દેશના પહેલાં ગૃહમંત્રીની મહાકાય પ્રતિમાની ઇંટ મૂકશે.

સંગ્રહાલયનું નિર્માણ સરદારભાઇ પટેલ મેમોરિયલ સોસાયટીએ કર્યું છે. સોસાયટીના અધ્યક્ષ તથા કેન્દ્રિય મંત્રી દિનશા પટેલે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સમારોહમાં આમંત્રિત કર્યા હતા. આ સમારોહની આમંત્રણ પત્રિકામાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મુખ્ય મહેમાન હશે અને ગુજરાતના મુખ્ય મંત્રી વિશેષ મહેમાન હશે. લાંબા સમયગાળા બાદ એવું બન્યું છે કે નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહ આમને સામને આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
