મૌલવીએ સોમનાથ મંદિર અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ફરિયાદ દાખલ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતમાં આવેલા બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા સોમનાથ મંદિર અંગે વિવિદાસ્પલ નિવેદન આપવા બદલ એક મૌલવી ફરિયાદ નોંધાવી હતી. આ મૌલવી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને નષ્ટ કર્યું ન હતું, પરંતું ત્યાં ચાલી રહેલા અનૈતિક કામોને બંધ કરાવ્યા હતા.

મૌલાનાએ કર્યા હતા આ દાવોઓ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રશીદીએ ગયા મહિને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ગઝનવીએ સોમનાથના પ્રાચીન મંદિરને નષ્ટ કર્યું નથી. ઈતિહાસ મુજબ, તેઓને ખબર પડી કે, મંદિરની અંદર આસ્થા અને હિંદુ દેવી-દેવતાઓના નામે અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તથ્યોની ચકાસણી કર્યા બાદ તેઓએ મંદિર પર હુમલો કર્યો હતો. તેમણે મંદિરનો નાશ કર્યો નથી.
મૌલાના સામે એફઆઇઆર નોંધાઇ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,પ્રભાસ પાટણ રશીદી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 A (ધર્મ, જાતિ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 295 A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી દૂષિત કૃત્ય) હેઠળના ગુનામાં FIR નોંધવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, રશીદીએ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
