Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'વડીલો માફ કરજો, છાતીમાં દુ:ખે છે' , પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક ચાલુ ડાયરામાં લથડી

સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયભાઈ આહિરની ચાલુ ડાયરમાં જ તબિયત લથડી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માયાભાઈ આહીર ગઈકાલે એટલે કે, 10 ફેબ્રૂઆરી 2025ના રોજ કડીના ઝુલાસણ ખાતે ડાયરો કરી રહ્યા હતા, તેમને સાંભળવા માટો સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ વચ્ચે તેમની તબિયત લથડી હતી અને આ અંગે તેમણે જ ચાલુ ડાયરામાં જ લોકોને જણાવ્યું હતું.

લોકોને ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરે જણાવ્યું હતું. "મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે આવ્યો છું અને મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી નીકળી શકું. પરંતુ આપ બધાને દાતાઓને, તમામ વડીલોને પ્રણામ કરું છું. પરમ દિવસે CM સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે બધી રાસગરબાની વાત છે અને બધા જ રાસ ગરબા રમજો. અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું, 'I AM SORRY' ક્ષમા કરજો."

પહેલા પ્રાથમિક સારવાર અપાઈ

ચાલુ ડાયરામાં અચાનક માયાભાઈ આહીરને છાતીમાં દુ:ખાવો થતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને વધુ સારવારની જરૂર હોવાથી તેમને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે, ચાલુ ડાયરા દરમિયાન ડાયરાના આયોજકે પણ માયાભાઈને પહેલા સારવાર લેવા માટે કહ્યું હતુ અને તેમનો કાર્યક્રમ 5 મિનિટ જ ટૂંકાવી દીધો હતો.

mayabhai

આયોજકોએ માયાભાઈને સારવાર લેવા જણાવ્યું

સ્ટેજ પરથી માયાભાઈ આહીર પાસેથી માઈક લઈને આયોજકોએ જણાવ્યું કે, "અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ-બહેનો અને દાતાઓને એક જાણ કરવાની છે કે માયાભાઇને અડધો કલાક પહેલા થોડો છાતી દુખાવો ઉપડ્યો છે અને આપણે પ્રાથમિક સારવાર આપી દીધી છે. ECG અને એ બધુ જોવાડાવ્યું તો મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની કાર્યવાહી કરવાની કરવી છે અને આપણાં મહેમાન છે, આપણી જવાબદારી ડબલ છે, તબિયત પહેલા, શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે અને જશે. એમને મહાભાઈ આહિરે કહ્યું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ. પરંતુ અમે કહ્યું કે તમને 5 મિનિટથી વધારે નહીં બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, તમે અમારા મહેમાન છો તો અમે એમને શિફ્ટ કરશું. માયાભાઇ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બહુ સારી રીતે સારવાર થશે અને બધું સરસ થઈ જશે."

સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા

ઝુલાસણ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ સાહિત્યકાર માયાભાઈ આહીરને વધુ સારવાર માટે અમદાવાદની કે.ડી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડાયરા દરમિયાન હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X