માયા કોડનાનીને અમિત શાહ યાદ આવ્યા, કહ્યું કોર્ટમાં હાજર થાવ!
માયા કોડનાનીએ આપી કોર્ટમાં અરજી, જેમાં તેણે 28 ફેબ્રુઆરી 2002ના તોફાનો મામલે અમિત શાહ સમેત 14 લોકોને સમન્સ મોકલવાની માંગ કરી છે.
અહમદાવાદ: ગુજરાત સરકારના ભૂતપૂર્ણ મંત્રી અને ભાજપના નેતા માયા કોડનાનીએ ગોધકા કાંડ પછી થયેલા તોફાનો મામલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સમેત 14 અન્ય લોકોને સમન્સ મોકલવાની માંગ કોર્ટ આગળ કરી છે. કોડનાનીએ સ્પેશ્યલ કોર્ટમાં એપ્લિકેશન આપી કહ્યું છે કે તેમના બચાવમાં આ લોકોના નિવેદન લેવા પણ જરૂરી છે. કોડનાનીના વકીલે ગુરુવારે કોર્ટ એક અરજી આપી આ અંગે જવાબ માંગ્યો છે. ત્યારે આ અંગે કોર્ટ આવનારા સોમવારે સુનવણી કરશે.

સીઆરપીસી હેઠળ અરજી
આ જ મહીને કોડનાની એ સીઆરપીસીની ધારા 233 (3) હેઠળ અમિત શાહ સમેત 14 લોકોને કોર્ટ દ્વારા સમન્સ મોકલવાની અપીલ કરવામાં આવી છે. સીઆરપીસીની આ ધારા મુજબ જો આરોપી વ્યક્તિ કોઇ પણ સાક્ષી કે પુરાવા રજૂ કરવા માટે આવેદન કરે છે તો જજ તે વાતની અનુમતિ આપે છે. જો કે સાથે જ જો જજને લાગ્યું કે આમ કરવાથી કેસને ભ્રમિત કરવામાં આવી રહ્યો છે તો તે આ અરજીને ફગાવી પણ શકે છે.
જમાનત પર છે કોડનાની
એક વખતે અમિત શાહની ખાસ વ્યક્તિ ગણાતી કોડનાની આજે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે છેવટે અમિત શાહની જ મદદ લેવાની વાત કરી છે. નોંધનીય છે કે ગોધરા કાંડ પછી 28 ફેબ્રુઆરી 2002માં કોડનાની પર હિંસા ભડકાવવા અને નરોડા પાટિયા નરસંહાર મામલે આરોપી જાહેર કરવામાં આવી છે. અને આ માટે તેમને ઉમરકેદની સજા પર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે. કોર્ટ મુજબ કોડનાની જ આ તોફાનોની માસ્ટરમાઇન્ડ હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર જુલાઇ 2014થી તેમને જમાનત પર છોડવામાં આવ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
