રાજુલામાં હોસ્પિટલ માટે માયાભાઈ આહીરે દાન આપી 1 કરોડની જમીન
અમરેલીના રાજુલામાં નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ હોસ્પિટલનો વિચાર કથાકાર મોરારિબાપૂએ મૂક્યો હતો. અને લોકકલાકારો, કવિઓ, શ્રેષ્ઠીઓએ વધાવી લીધો. અને તાત્કાલિક દાન શરૂ થઈ ગયું. રાજુલામાં
અમરેલીના રાજુલામાં નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ હોસ્પિટલનો વિચાર કથાકાર મોરારિબાપૂએ મૂક્યો હતો. અને લોકકલાકારો, કવિઓ, શ્રેષ્ઠીઓએ વધાવી લીધો. અને તાત્કાલિક દાન શરૂ થઈ ગયું. રાજુલામાં બનવા જઈ રહેલી આ અતિઆધુનિક અને સુવિધાવાળી હોસ્પિટલમાં દર્દીઓને સાવ જ નિઃશુલ્ક સારવાર કરી આપવામાં આવશે.

માયાભાઈએ કર્યું આટલું દાન
એટલું જ નહીં દર્દી સાથે રહેતા તેમના સગાઓને પણ નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ થશે. જેથી સારવાર માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે. જાણીતા લોકકલાકાર, હાસ્યકાર માયાભાઈ આહીરે આ હોસ્પિટલ માટે લગભગ 1 કરોડની કિંમતની જમીન દાનમાં આપી છે. તો મૂળ રાજુલાના અને મુંબઈના ઉદ્યોગપતિ અનિલભાઈ મહેતાએ 2 કરોડનું દાન કર્યુ છે.

સોશિયલ મીડિયા પર મૂકાયો વીડિયો
આ હોસ્પિટલની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સંખ્યાબંધ કલાકારો જોડાયા છે. આ માટે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો પણ રિલીઝ કરાયો છે. જેમાં માયાભાઈ આહીર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી અને ધારાસભ્ય અંબરીષ ડેરે આખાય પ્રોજેક્ટ વિશે માહિતી આપી છે.

મોરારીબાપુની યોજાશે કથા
રાજુલામાં બનનારી આ હોસ્પિટલ માટે મોરારીબાપુએ કથા પણ આપી છે. 14 માર્ચથી 22 માર્ચ સુધી રાજુલામાં આ હોસ્પિટલ માટે મોરારિબાપુ કથા કરશે. આ હોસ્પિટલના ટ્રસ્ટમાં મુંબઈના અનિલભાઈ મહેતા, હરેશભાઈ મહેતા, પૂર્વ સીએસ પી. કે. લહેરી, ધારાસભ્ય અંબરીષ ડેર જેવા લોકો જોડાયેલા છે. શ્રી રામકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટના નેજા હેઠળ આ હોસ્પિટલ નિર્માણ પામશે. તો જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ પોતાની રીતે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો: મલ્હાર ઠાકરની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ ?
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
