'ગાદીની પરવા નથી, એક ઇંચ જમીન પણ કોઇને નહીં લેવા દઉ'

પ્રાંતિજની જાહેરસભામાં કોંગ્રેસને લીધી આડા હાથે
સરક્રિક મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા મોદીએ પ્રાંતિજમાં કહ્યું કે, સરક્રિક અંગે કોઇ સચોટ જવાબ આપવાના બદલે તેઓ એમ કહે છે કે મોદી ચૂંટણી આવી છે એટલે વોટ મેળવવા માટે આ મુદ્દો ઉપાડી રહ્યાં છે, પણ તમે 15મી ડિસેમ્બરે પાકિસ્તાન ડેલિગેશન સાથે ચર્ચા કરવાના છો ત્યારે મારે શું ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી. જો તમને લાગતું હોય કે સરક્રિકથી મને વધારે મત મળી જશે તો હું તમને કહું છું કે ચૂંટણી મોકુફ કરી નાંખો. આડા દિવસે ગોઠવી દો. મને ગાદીની ચિંતા નથી કે પરવા નથી પણ હું સરક્રિકના એક ઇંચના ટૂકડાને પણ કોઇને લેવા નહીં દઉ.
પાલનપુરઃ મોદીએ પાલનપુરમાં કહ્યું, 'પીએમજી તમે મને નહીં પહોંચીવળો'
તેમણે કહ્યું કે, વડાપ્રધાન એક સભા કરીને ગયા પછી ગુજરાત પાછા આવ્યા જ નહીં, કારણ કે તે સમજી ગયા છે કે અહીં તેમનું કઇ નહીં ઉકળે. તેઓ અહીં કહીં ગયા કે ગુજરાતમાં લઘુમિત સુરક્ષિત નથી, તેઓ અહીં કોમવાદનું ઝેર ઓકીને ગયા અને મતબેંકનુ રાજકારણ રમતા ગયા પરંતુ તેમણે એ વાત જરા પણ ના જણાવી કે ગુજરાતે શું કરવું જોઇએ વિકાસ માટે કયા માર્ગે જવું જોઇએ, ગુજરાત તમારી પાસે એ સાંભળવા માગતું હતું પણ તેમણે તેમ કહ્યું નહીં, તેમણે કોમવાદનું રાજકારણ રમ્યુ છે તો હું તેમને જણાવી દેવા માંગુ છું કે જો કહેવાની તૈયારી રાખો છો તો પછી સાંભળવાની પણ રાખો, તમારી સરકાર ગુજરાતમાં હતી ત્યારે બારેમાસ હુલ્લડ, કરફ્યુ રહેતા હતા, ગુજરાત ભડકે બળતું અને નિર્દોશો મરતા હતા પરંતુ મોદીની સરકાર ગુજરાતમાં આવ્યા પછી લોકોને શાંતિ મળી છે, હુલ્લડ અને કરફ્યું બંધ થઇ ગયા છે. મોદીનો હિસાબ માંગવા આવ્યો છો તો સાંભળી લો કે મોદી તરફ એક આંગળી કરો છો પરંતુ ચાર આંગળીઓ તમારી તરફ છે.
પાકિસ્તાનનું મંત્રીમંડળ ભારત સંબંધો સુધારવા આવ્યું છે, તેમના મંત્રી રહેમાને અહીં જે નિવેદન આપ્યું છે તેને દેશ ક્યારેય નહીં સ્વિકારે, પાકિસ્તાનના મંત્રી હિન્દુસ્તાનમાં આવીને બોલ્યા કે મુંબઇમાં જે હુમલો થયો, નિર્દોશો મર્યા એ ઘટના અને 1992માં અયોધ્યામાં જે ઘટના ઘટી હતી તે બન્ને એક સમાન છે, પ્રધાનમંત્રી તમે દેશને જણાવો કે પાકની સરકારને આપણા આંતરિક મુદ્દામાં દખલ આપવાની પરવાનગી કોણે આપી, પણ પાકિસ્તાનની આ હરકતો કરી રહ્યું છે કારણ કે દિલ્હીની સરકારમાં કોઇ દમ નથી. પ્રધાનમંત્રી તમે સરક્રિક મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરો છો એ અંગે મારા પ્રશ્નનો કેમ જવાબ આપતા નથી બસ ગોળ-ગોળ વાતો કરી રહ્યાં છો, મારી સિધી વાત છે, પાકિસ્તાન સાથે ભલે વાર્તાઓ કરવામાં આવે પરંતુ અમે ક્યારેય સરક્રિકની જમીનો નાનો અમથો ટૂકડો પણ પાકિસ્તાનને આપવાના નથી, એ વાત કહેવામાં તમારું શું જાય છે પરંતુ તમે તે કહેતા નથી, કારણ કે તમારી સરકારમાં કોઇ દમ નથી.
સરક્રિકને લઇને મોદી આમ બોલે છે, તેમ બોલે છે, અરે મોદી ગમે તે બોલતા હોય પરંતુ તમે તો અમારા પ્રશ્નનો જવાબ આપો. અને મેડમ સોનિયા ગાંધી તમારે મને કોઇ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. હું હિન્દુસ્તાનનો દિકરો છું, દેશ માટે જીવું છું અને દેશ માટે મરું છું, તમે મને કોઇ દેશભક્તિનું સર્ટિફિકેટ ના આપો. તમારા માટે સરક્રિક એક જમીનનો ટૂકડો હશે પરંતુ અમારા માટે સરક્રિક અમારા શરીરનો ભાગ છે અને અમે અમારા શરીરના ભાગને અલગ નહીં થવા દઇએ, તમે ભરોસો આપો કે તમે તેમ નહીં કરો, તેમ દેશને અંધારામાં રાખીને પાકની ઇચ્છા પૂરી કરવા જઇ રહ્યા છો, ત્યારે મારે આ બોલવું પડે છે નહીંતર મારે ચૂંટણીમાં બોલવાની જરૂર નહોતી, મે તો આ બધુ તમને એપ્રિલમાં કહી દીધુ હતું પરંતુ મે ક્યારેય છાપામાં એ વાત કરી નથી. જે મહાપુરુષે ભારતને અંખડ બનાવ્યું છે તેની પુણ્યતિથિએ હિન્દુસ્તાનના ટૂંકડા કરવા માંગો છો શું આ છે તમારી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ.
ઉપાડી લો, 17મીએ તમે કમળના બટન દબાવો તે મત ગોવિંદજીના ખાતામાં જ નહીં પણ મારામાં પણ આવશે. તમે મને કમળ મોકલાવો હું બનાસકાંઠાના વિકાસની જવાબદારી ઉઠાવું છું.
વિસનગરમાં જાહેરસભા
મોદીએ વિસનગરમાં જાહેર મેદનીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તે ગાંધીજીના માર્ગે ચાલી રહ્યાં છે, ગાંધીજીને ગુરુ માની રહ્યાં છે તો પછી ગાંધીજીની એક ઇચ્છા કેમ પુરી કરતા નથી, ગાંધીજીની ઇચ્છા હતી કે આઝાદી પછી કોંગ્રેસને ભંગ કરી દેવામાં આવે પરંતુ હજુ સુધી કરી નથી, પણ મને વિશ્વાસ છે કે જનતા એ ઇચ્છા પૂરી કરશે અને કોંગ્રેસનો ભંગ થઇ જશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
