'રાહુલે ગાંધીજીની એ ઇચ્છા હજી સુધી કેમ પૂરી નથી કરી'

સાચો મુદ્દો મોતીલાલ નહેરુનો છે
સુરેન્દ્રનગર ખાતે જાહેરસભા સંબોધતા મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને ત્યાં તેમણે ગાંધીજી અને નહેરુ અંગે વાતો કરી. જેમણે તેમણે કહ્યું કે જવહારલાલ નહેરુ જેલમાં હતા ત્યારે ગાંધીજી જમીન પર સુતા હતા, ગાંધીજીની એ મહાનતા હતી અને નહેરુ પ્રત્યેનો આદર હતો કે તેથી તેઓ નહેરુના કારણે જમની પર સુતા હતા પરંતુ સાચો મુદ્દો એ છે કે મોતીલાલ નહેરુ એ સમયે પલંગમાં રઝાઇ ઓઢીને સુતા હતા જ્યારે તેમનો પુત્ર જેલમાં હતો.
ગાંધીની પહેલી ઇચ્છા કેમ પૂરી નથી કરવામાં આવી
મોદીએ બીજો પ્રહાર કર્યો હતો કે રાહુલે કહ્યું કે તે ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યાં છે અને ગાંધીજી તેમના ગુરુ છે, ત્યારે જો તે ખરેખર ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યાં હોય તો પછી તેમણે કેમ ગાંધીજીની એક ઇચ્છાને પૂરી નથી કરી. ગાંધીજીની ઇચ્છા હતી કે દેશને આઝાદી મળ્યા પછી કોંગ્રેસનો ભંગ કરવામાં આવે.
લોકસભામાં માત્ર 24 દિવસ જ હાજરી
મોદીએ ત્રીજો પ્રહાર કર્યો હતો કે રાહુલે કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા 25 દિવસ પણ નથી મળતી ત્યારે તેમને જણાવવા માગીએ છીએ કે મે 2011થી મે 2012 સુધીમાં રાહુલ ગાંધી 84 દિવસમાંથી માત્ર 24 દિવસ જ લોકસભામાં બેસ્યા છે અને 2010થી 2011માં 72 દિવસમાંથી 19 દિવસ જ હાજર રહ્યાં છે, જો તમે તેનો આદર કરતા હોવ તો તમારે ત્યાં તમામ દિવસ હાજર રહેવું જોઇએ. રાહુલ ગાંધી વિધાનસભાને વધારે પ્રેમ કરે છે તો તેમને માહિતી હોવી જોઇએ કે ગુજરાતની વિધાનસભામાં તમામ મુદ્દાઓ પર દિવસના અંત સુધી ચર્ચા થાય છે પરંતુ કોંગ્રેસની વૃત્તિ હકારાત્મક નથી હોતી, અમે ઘણા દિવસ ચર્ચા કરીએ છીએ અને પછી બિલ પાસ કરીએ છીએ, પરંતુ કોંગ્રેસ વિધાનસભાનો આદર નથી કરતું.
યુવાનો માટે પ્રાથમિકતા મોબાઇલની કે ફોનની?
મોદીએ ચોથો પ્રહાર કર્યો હતો કે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે રાજીવ ગાંધી અને સામ પિત્રોડાએ મોબાઇલ ફોન આપ્યા પરંતુ આજના યુવાનની પ્રાથમિકતા શું છે મોબાઇલ ફોન કે પછી રોજગારી? દેશમાં સૌથી ઓછી બેરોજગારી હોય તો તે ગુજરાતમાં છે, ભારત સરકારના આંકાડાઓ સાક્ષી છે કે દેશમાં જેટલી રોજગારી ઉભી થઇ છે તેમાંથી 72 ટકા રોજગારી ગુજરાતમાં ઉભી થઇ છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
