Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીને એ પણ ખબર નથી કે સરક્રિક એક ખાડી છે: શંકરસિંહ વાઘેલા

shankar singh vaghela
સિદ્ધપુર, 15 ડિસેમ્બર: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણને ટાંકીને શંકરસિંહ વાઘેલાએ કોમેન્ટ કરી મોદીને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધા હતા. મોદીએ સરક્રીકના મુદ્દે આક્રમકતાથી કહ્યુંકે સરક્રીકની એક ઇંચ જમીન પણ અમે પાકિસ્તાનને આપવા નહીં દઈએ. આ અંગે આજે સિદ્ધપુર ખાતેની સભામાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, માણસનું મગજ બગડે ત્યારે શું બોલે છે તેની પણ તેને ખબર હોતી નથી. સરક્રીક એ ખાડી છે તેની પણ ખબર નથી. આ પ્રશ્ન ગુજરાત સરકારનો છે જ નહિ. રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે. ભારત સરકાર આ પ્રશ્ને ગંભીર છે.

તેમણે સિદ્ધપુર ખાતે મોદીએ કરેલા મોટા ઉત્સવની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારે સિદ્ધપુરમાં સરસ્વતીમાં નર્મદાનું પાણી નાખી સજીવન કરવાનું નાટક કર્યું હતું. પરજા સરકારની નાડ પારખી ગઈ છે સરસ્વતી નદીમાં કેટલા દિવસ પાણી રહ્યું અને પછી શું થયું તે લોકો જાણે છે.

તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ચૂંટણીમાં ઉંચુ મતદાન બતાવે છે કે, ભાજપ સરકાર તરફની પ્રજાની નફરત અને પરિવર્તનનો આ પૈગામ છે ભાજપની સરકારે યુસુફ પઠાણના શરણે જવું પડયું એ જ બતાવી આપે છે કે તેઓ અંદરથી ભયભીત છે. સરકારે પ્રજા માટે જે કરવું જોઈતું હતું તે કશું કર્યું નહીં હવે લોકોને ખોટી વાતો કરીને ભરમાવીને મતો લેવાની કોશિષ કરે છે.

વાઘેલાએ સિદ્ધપુરના મતદારોને અનુરોધ કર્યો હતો કે, તા. ૧૭ ડિસેમ્બરે કચકચાવીને મતદાન કરી ગાંધીનગરમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી કોંગ્રેસની ટનાટન સરકાર લાવો. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમે પાંચ વર્ષમાં આ વિસ્તારમાં નર્મદાનું પાણી લાવીશં સિદ્ધપુર- વાગડોદમાં જી.આઇ.ડી.સી. થકી ૧૫ હજાર યુવાનોને રોજગારી પૂરી પાડીશું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X