મોદી આપશે આજે રાજીનામું, સીએમ તરીકે નક્કી થશે તેમના ઉત્તરાધિકારી
ગાંધીનગર, 21 મેઃ દેશના 14માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદી બુધવારે બપોરે ત્રણ વાગ્યે રાજ્યપાલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવામાં આવશે. પોતાનું રાજીનામું સોંપતા પહેલા મોદી ભાજપના ધારાસભ્યો દ્વારા આયોજીત વિદાય ભોજમાં સામેલ થશે. મોદી રાજ્ય વિધાનસભામાં મણિનગરનું પ્રતિનિધત્વ કરે છે.

ધારાસભ્યો તરફથી ઔપચારિક રીતે પસંદગી કરવામાં આવ્યા બાદ નવા નેતા બુધવારે સાંજે છ વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવા મુખ્યમંત્રી 22 મેના રોજ 12.39 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.












Click it and Unblock the Notifications
