For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજકોટમાં 1.7 લાખના ખર્ચે બન્યું 'નમો'નું મંદિર!

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 11 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોએ ગુજરાતના રાજકોટમાં તેમનું મંદિર બનાવ્યું છે. કોઠારિયા રોડ પર સ્થિત આ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરનું ઉદઘાટન 16 ફેબ્રુઆરીના રોજ થવાનું છે.

ઓમ યુવા ગ્રુપના નેતા જયેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કોઇ જીવિત વ્યક્તિનું આ પહેલું મંદિર છે. તેમણે જણાવ્યું કે આ ગ્રૂપના લગભગ 350 લોકોએ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.

modi temple
પટેલે જણાવ્યું કે તેમના સંગઠનના લોકો નરેન્દ્ર મોદીની ત્યારથી ભગવાનની જેમ પૂજા કરે છે જ્યારે તેઓ પહેલીવાર રાજકોટથી વિધાનસભા ચૂંટણી જીતીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અમે પહેલા મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાનના રૂપમાં તેમના કાર્યથી ખૂબ જ પ્રભાવિત છીએ. એટલા માટે અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો. અને અમારા આ નિર્ણયને રાજકોટવાસીઓએ સારો એવો પ્રતિસાદ પણ આપ્યો છે.

જયેશ પટેલે જણાવ્યું કે પહેલા અમે નરેન્દ્ર મોદીની તસવીર લગાવી હતી, પરંતુ હવે અમે તેમની મૂર્તિ લગાવી છે, જેના નિર્માણમાં 1.7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તેમણે જણાવ્યું કે આખા મંદિરના નિર્માણમાં 1.7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

જુઓ વીડિયોમાં કેવું નરેન્દ્ર મોદીનું મંદિર...

English summary
Supporters of Prime Minister Narendra Modi here have built a temple for him in Rajkot, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X