For Quick Alerts
For Daily Alerts
ખોટા વચનો આપી કોંગ્રેસ પ્રજાને છેતરે છેઃ મોદી
ધોળકા ખાતે પહોંચેલી વિવેકાનંદ વિકાસયાત્રામાં મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે. ગુજરાતના વિકાસ અંગે કોંગ્રેસ દ્વારા જે કંઇપણ કહેવામાં આવી રહ્યું છે તે જુઠ્ઠાણાથી ભરેલું છે. કોંગ્રેસ ખોટા-ખોટા વચનો ગુજરાતની જનતાને આપીને ગેરમાર્ગે દોરી રહી છે.
તેમણે સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે, સોનિયા ગાંધીએ રાજકોટમાં ચૂંટણી અંગેનું પોતાનું મેનુ રજૂ કર્યું છે. પરંતુ તેઓ મોંઘવારી અંગે કંઇ બોલ્યા નથી. તેમણે મોંઘવારી અંગે ખેદ વ્યક્ત કરવો જોઇએ.
નોંધનીય છે કે, મોદીની વિકાસયાત્રા હવે ખેડા, મહેમદાવાદ, નિકોલ, દેહગામ, માણસા, ગોઝારીયા અને કલોલમાં પહોંચશે. કલોલમાં મોદી જાહેર મેદનીને સંબોધવાના છે.
Comments
narendra modi vikas yatra dholka sonia gandhi congress નરેન્દ્ર મોદી વિકાસ યાત્રા સોનિયા ગાંધી કોંગ્રેસ
English summary
Narendra Modi Vikas yatra arrived at Dholka. Addressing crowd in Dholka Modi slams Sonia Gandhi and Congress for false promise.