For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી હતાશ વ્યક્તિની જેમ વાત કરી રહ્યાં છે: અહેમદ પટેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-ahmed-patel
અમદાવાદ, 2 ડિસેમ્બર: કોંગ્રેસી નેતા અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 'નિરૂત્સાહિત અને હતાશ' વ્યક્તિની જેમ વાત કરી રહ્યાં છે. અહેમદ પટેલના હવાલેથી જાહેર કરવામાં આવેલા એક વ્યક્તવ્યમાં કોંગ્રેસે કહ્યું હતું કે 'હું ક્યારેય મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી અને ક્યારેય બનીશ પણ નહી. હું હંમેશ સત્તાના રાજકારણથી દૂર રહ્યો છું.

નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસમાં દમ હોય તો અહેમદ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી બતાવે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ રમત પડદા પાછળ રમાઇ રહ્યો છે.

મણિનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કોઇપણ નામ લીધા વગર કોંગ્રેસે વિસાવદર વિધાનસભા સીટ પર પોતાનો કોઇ ઉમેદવાર ઉભો ન રાખી કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે સમજૂતી કરી લીધી છે. કેશુભાઇ પટેલ વિસાવદર સીટ પરથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે 'તેમના એ કહેવાનું સાહસ નથી કેટલાક અન્ય પક્ષો સાથે તેમની સમજૂતી છે અને તેમને કેટલીક ગુપ્ત વ્યવસ્થા કરી છે.'

English summary
Ahmed Patel said Chief Minister Narendra Modi was talking like a "dejected and frustrated" person.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X