For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં એક માર્ગદર્શક ગુમાવ્યાઃ નરેન્દ્ર મોદી

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 17 નવેમ્બરઃ શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેનું નિધન થયું હોવાના સમાચાર મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અંજલિ અર્પી છે. તેમણે કહ્યું છે કે દેશે એક સ્નેહી વ્યક્તિ ગુમાવ્યા છે, પરંતુ મે એક માર્ગદર્શક, સ્વનજ ગુમાવ્યા છે. મારા પ્રત્યે તેમને અપાર સ્નેહ રહ્યો છે. હું બાળાસાહેબને આદરપૂર્વક અંજલિ અર્પુ છું.

તેમણે વધુમાં કહ્યું કે, બાળા સાહેબ એક યોદ્ધાની જેમ જંગ લડ્યા, તેમના લાંબા આયુષ્ય માટે દશભરે દુવાઓ કરી, પરંતુ આપણે નિરાશ થવું પડ્યું, આપણે બાળા સાહેબને ગુમાવવા પડ્યા. તેઓ એક સારા કાર્ટૂનિસ્ટ અને પત્રકાર હતા, તેમણે પોતાના વિચારોના આધારે મહારાષ્ટ્રનને ઝંઝોળી નાંખ્યું અને હિન્દુસ્તાનના રાજકારણમાં પોતાનું એક અલગ સ્થાન મેળવી તેમણે લોકોના દિલ જીત્યા.

બાળા સાહેબ એ જિંદાદીલ વ્યક્તિ હતા. તેઓ સંઘર્ષ પણ જિંદાદિલીથી અને સ્નેહ પણ જિંદાદિલીથી કરતા હતા. તેમણે એક સંગઠનની જેમ જન આંદોલન અને એક રાજકિય દળ ઉભૂ કર્યું. તે એક સાચા દેશભક્ત હતા અને દેશભક્તિમાં તેઓ ક્યારેયપણ કોમ્પ્રોમાઇઝ સહન કરતા નહોતા. આજે દેશે એક પ્રખર દેશભક્તિના વિચારક ગુમાવ્યા છે, તેમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.

શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેનું હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયું છે. તે 86 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમણે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી. ડોક્ટરોએ ઘણા પ્રયત્નો કરવા છતાં તેમને બચાવી શક્યા નહોતા. બાળા સાહેબના નિધનના સમાચાર મળતાં જ તેમના નિવાસ્થાન માતોશ્રી ખાતે માતમ છવાયું છે.

English summary
Chief minister of gujarat narendra modi pay tribute to hiv Sena supremo Bal Thackeray, whopassed away on Saturday after protracted illness at his home Matoshree in suburban Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X