'મોદી PM બનશે ગુજરાતની જેમ દેશનો વિકાસ થશે: નરહરિ અમીન

નરહરિ અમીને કહ્યું હતું કે દિલ્હીથી સિનિયર નેતાઓએ ચુંટણી દરમિયાન ગુજરાતમાં આવીને બે-ચાર મીટીંગો કરી છે પરંતુ નરેન્દ્ર મોદીએ એકલા હાથે ગુજરાતમાં લોકોની સાથે 125 મીટીંગ કરી છે. લોકો જાણે છે કે તેમનો નેતા કોણ છે.
જ્યારે નરહરિ અમીનને વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય નેતા છે. તે દિલ્હીથી જ ગુજરાત આવ્યાં છે. તેમના રાજકીય જીવનની શરૂઆત દિલ્હીથી થઇ હતી. નરહરિ અમીને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી 117થી વધુ સીટ મેળવવામાં સફળતા મેળવે છે તો ભારતમાં તેમની છબિ બની જશે.
નરહરિ અમીને કહ્યું હતું જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો જેવી રીતે ગુજરાતનો વિકાસ થયો છે તેવી રીતે આખા દેશનો વિકાસ થશે.
અત્રે ઉલ્લેખનીય છે મણિનગર મત વિસ્તારમાં નરેન્દ્ર મોદીનો વિજય થયો છે. દેશભરના ભાજપ કાર્યાલયોમાં ભાજપના વિજયનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના ભાજપ પરથી કિરિટ સોમૈયાએ જણાવ્યું હતું ભાજપનો ભવ્ય જશે અને નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન પદના દાવેદાર બને એવી આશા વ્યક્ત કરીએ છીએ.












Click it and Unblock the Notifications
