Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંઘ સુપ્રીમો મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે

mohan-bhagawat
અમદાવાદ, 7 નવેમ્બર: છારોડી ગુરુકુળ ખાતે મળેલા મહાસંમેલનમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજે બુધવારે અમદાવાદ આવશે. સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણી ચેન્નાઇ ખાતે મંગળવારે સમાપ્ત થઇ છે હોવાથી ત્યાંથી જ સીધા અમદાવાદ આવવાના હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ અર્થ વિદ્યાલયના પરમાત્માનંદજી દ્વારા યોજાયેલા આચાર્ય મહાસંમેલનમાં ચાર સંપ્રદાયના આચાર્યપીઠના વડા હાજરી આપી રહ્યા છે. આ વાર્ષિક મહાસંમેલન સંપૂર્ણ બિનરાજકીય છે.

અને દેશમાં વધતી જતા હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિ પર થઇ રહેલા અત્યાચારો, ગૌવંશ સુરક્ષા, ગંગા શુધ્ધિકરણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મોહન ભાગવત ચેન્નાઇથી અમદાવાદ આવીને સંઘ કાર્યાલય હેગડેવાર ભવન પણ જશે. જ્યાં સંઘના અગ્રણી બિમાર દામલેજીના ખબરઅંતર પુછશે. આ સંમેલનને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયા પણ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X