નાફેડના ચેરમેન તરીકે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાયા
ઈફકોની ચૂંટણીમાં મોટા વિવાદ બાદ નાફેડના ચૂંટણી બીજેપી વિવાદ વગર પુરી કરવામાં સફળ થઈ છે. નાફેડના ચેરમેન તરીકે મોહન કુંડારીયાની બીનહરીફ વરણી થઈ છે.
નાફેડ ચૂંટણી માટે કુલ 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મોહન કુંડારીયા સિવાયના તમામ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લઈ લેતા ચૂંટણી બિનહરીફ થઈ છે.

નાફેડ ચૂંટણીમાં બીજેપીએ કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ નહોતો આપ્ચો અને મોહન કુંડારિયાને સમર્થન કરવાની વાત કરાઈ હતી. અન્ય ઉમેદવારોને મોહન કુંડારિયાનાં સમર્થન માટે કહેવામાં આવ્યુ હતુ.
બીજેપી સહકારી ચૂંટણીમાં પોતાનાં ઉમેદવારને મેન્ડેટ આપતી હતી. હવે બીજેપીએ પોતાની રણનીતિ બદલી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પાર્ટી વિરૂદ્ધ જઈને ચૂંટલી લડી અને જીત્યા હતા.
જણાવી દઈએ કે, નાફેડના ચેરમેન પદની ચૂંટણી માટે મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી હતી.












Click it and Unblock the Notifications
