કોરોના વાયરસ ચીનથી આવ્યો, વધુ દિવસ નહિ ટકેઃ મોરારી બાપૂ
મોરારી બાપૂએ કહ્યુ કે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકશાન નહિ કરે કારણકે ચીનથી આવ્યો છે.
મોરારી બાપૂએ કહ્યુ કે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકશાન નહિ કરે કારણકે ચીનથી આવ્યો છે. બધા જાણે છે કે ચીનનો સામાન ટકાઉ નથી હોતો, તે ઓછો જ ચાલે છે. મોરારી બાપૂએ ગુરુવારે પ્રયાગરાજમાં કથા દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યુ કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી. તમે આનાથી ના ગભરાવ, આ ચીનનો સામાન છે. ચીનનો કોઈ સામાન ટકાઉ નથી હોતો, આ બિમારી પણ બહુ દિવસ સુધી ટકી નહિ શકે.

ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે મોરારી બાપુએ આ કહ્યુ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે પણ મોરારી બાપૂએ કટાક્ષ કર્યો. ટ્રમ્પે ભારત આવતા પહેલા કહ્યુ હતુ કે 70 લાખ લોકોની ભીડ તેમનુ સ્વાગત કરશે. આના પર બાપૂએ કહ્યુ, ડોનાલ્ડ ટ્રમ્પ 70 લાખની ભીડ ઈચ્છતા હતા પરંતુ ભીડની સંખ્યા એક લાખ જ હતી. એક અમેરિકી ડૉલરના 70 રૂપિયા થાય છે, આ હિસાબથી એક લાખની ભારતીય ભીડ પણ 70 લાખ સમાન થઈ. તમને જણાવી દઈએ કે ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. ભારતમાં પણ આના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 30 કેસમાં ભારતના અલગ અલગ શહેરમાં કોરોના આવ્યા છે. ત્યારબાદ સરકારે એલર્ટ રહેવાની વાત કહી છે. ગુરુવારે સંસદમાં પણ કોરોના વાયરસનો મુદ્દો ઉઠાવ્યો છે.

કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા
ગુરુવારે આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસ વિશે રાજ્યસભામાં નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે 4 માર્ચ સુધી દેશમાં કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ બધાને ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસ(કોવિડ 19)થી ઉત્પન્ન સ્થિતિ અને ભારત સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહેલા પગલાં પર રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ઈટલીથી આવેલ પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત છે.

હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ
તમને જણાવી દઈએ કે આ વાયરસથી દુનિયાભરના 3000 લોકોના જીવ જઈ ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિના કારણે તે આ વખતે હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ થાય.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
