Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

morbi bridge collapse : શરમજનક! 135 મોરબીવાસીને ભરખી જનારો જયસુખ પટેલ જામીન પર બહાર આવતા લાડુ તુલા કરાઈ

morbi bridge collapse : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને જામીન મળતા બહાર આવ્યો છે. જયસુખ પટેલ બહાર આવતા તેને મોરબીના લોકોની હત્યાનો કોઈ ગમ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

સમાચારો અનુસાર, એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યો. આ ઘટના બાદ લોકોમાં નારાજગી છે અને મોટો વિવાદ સર્જાયો છે.

Jaysukh Patel

એક તરફ પોતાના સ્વજનો ગુમાવનારા લોકો ન્યાય માટે ઠોકરો ખાઈ રહ્યાં છે તો બીજી તરફ જયસુખ પટેલને આટલા લોકોના જીવ લેવાનો કોઈ ગમ ન હોય તેમ તુલા કરવામાં આવતા પીડિતોમાં ભારે નારાજગી જોવા મળી છે.

જયસુખ પડેલના મોદક તુલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આયોજકો અનુસાર શરમજનક ઘટના એ છે કે હત્યારા જયસુખ પટેલને તોલવામાં આવ્યો તે 75 કિલો વજનનો મોદક 60,000 પાટીદાર પરિવારોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.

મોરબી જીલ્લામાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જયસુખ પટેલે હાજરી આપી હતી. આ કડવા પાટીદારનું સંગઠન છે.

આયોજકોએ તેમને ઉમિયા માતાજી મંદિરમાં ઉમા રંગ ભવન, ઉમા આદર્શ મેરેજ હોલ અને પ્રાણ પ્રતિષ્ઠાના ઉદઘાટન સમારોહ માટે ઉમા સંસ્કાર લજાઈમાં ધામમાં આમંત્રણ આપ્યું હતું. આ ઝૂલતા પુલ દુર્ઘટના સ્થળથી માત્ર અડધો કલાકના અંતરે છે.

આ સમારોહ 13 અને 15 નવેમ્બરની વચ્ચે યોજાયો હતો. આયોજકોએ જણાવ્યું કે જયસુખ પટેલને અજંતા ગ્રૂપની સ્થાપના કરનાર પરોપકારી સ્વર્ગસ્થ ઓ આર પટેલના પુત્ર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સંસ્થા અનુસાર, જયસુખ ભાઈના દાદા ઓ.આર. પટેલે 80,000 રૂપિયાની કિંમતની આ જમીન દાનમાં આપી હતી, જે હવે ત્રણ-ચારસો કરોડની છે. એટલા માટે જયસુખ પટેલને આમંત્રણ અપાયુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X