ખેડૂતોએ મવડા નાબુદી કરવા રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
મોરબી જિલ્લામાં શહેરી વિકાસ સત્તામંડળમાં બાકી રહેલા ત્રણ ગામો માધાપર, વજેપર અને ત્રાજપર ગામના ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (મવડા) નાબુદી માટેની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી વિરોધ નોંધાવ્યો હતો. મવડા માં બાકી રહેલ ત્રણ ગામો દ્વારા આજે મવડા નાબુદી અંગે રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે 28 ઓગસ્ટ 2012 ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરવામાં આવી હતી. મોરબીમાં લાગુ કરવામાં આવેલ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ માં બાકી રહેલા ત્રણ ગામો માધાપર, વજેપર અને ત્રાજપર ગામના ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને મવડાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મવડા લાગુ કરવામાં આવ્યું ત્યારે મવડા માં 36 ગામનો સમાવેશ કરેલ બાદમાં ૩૩ ગામને મવડા માંથી દુર કરી માત્ર ત્રણ ગામનો જ સમાવેશ મવડામાં કરવામાં આવેલ હતો. જેથી આ ત્રણ ગામોને પણ મવડા માંથી દુર કરવામાં આવે અથવા અન્ય ગામોનો ફરી સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
