For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી દુર્ઘટના: 'ભગવાનની ઇચ્છા હતી...' જજની સામે બોલ્યો આરોપી મેનેજર

ગુજરાતમાં મોરબી કેબલ બ્રિજ અકસ્માત કે જેમાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનાના એક આરોપીએ કોર્ટને કહ્યું કે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની તે "ભગવાનની ઇચ્છા" હતી. તમને જણાવી દઈએ કે આ ટિપ્પણી 150 વર્ષ જૂના બ્રિજની જાળવણી માટે જવ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં મોરબી કેબલ બ્રિજ અકસ્માત કે જેમાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનાના એક આરોપીએ કોર્ટને કહ્યું કે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની તે "ભગવાનની ઇચ્છા" હતી. તમને જણાવી દઈએ કે આ ટિપ્પણી 150 વર્ષ જૂના બ્રિજની જાળવણી માટે જવાબદાર ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખે કરી હતી. રવિવારે પુલ તુટ્યા બાદ ધરપકડ કરાયેલા નવ લોકોમાં મેનેજર પણ સામેલ છે.

Morbi

દીપક પારેખે કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમજે ખાનને જણાવ્યું હતું કે, "તે ભગવાનની ઇચ્છા હતી એટલે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી." આ દરમિયાન મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પીએ ઝાલાએ કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજના કેબલને "કાટ લાગ્યો છે" અને રિનોવેટિંગ કરનાર કંપની દ્વારા તેને બદલવામાં આવ્યો નથી, જે અકસ્માતનું મુખ્ય કારણ હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સરકારની મંજૂરી અથવા ગુણવત્તા પરીક્ષણ વિના 26 ઓક્ટોબરે પુલને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો." જાળવણી અને સમારકામના ભાગરૂપે, ફક્ત પ્લેટફોર્મ બદલવામાં આવ્યું હતું. બ્રિજ એક કેબલ પર હતો અને કેબલ પર કોઈ તેલ કે ગ્રીસિંગ કરવામાં આવ્યું ન હતું. જ્યાંથી કેબલ તૂટી ગયો હતો, તેના પર કાટ લાગ્યો હતો. જો કેબલ નવો લગાવ્યો હોત તો આવી ઘટના ન બની હોત.

ઘણા સ્થાનિકોએ ધ્યાન દોર્યું હતું કે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ, જેમણે જાહેરમાં દાવો કર્યો હતો કે નવીનીકરણ કરાયેલ પુલ ઓછામાં ઓછા આઠથી દસ વર્ષ ચાલશે. જ્યારે પુલ ફરી ખુલ્યો ત્યારે જ પટેલને તેમના પરિવાર સાથે છેલ્લે જોવામાં આવ્યા હતા. જોકે અમદાવાદમાં ઓરેવા કંપનીનું ફાર્મહાઉસ બંધ અને ખાલી છે.

મીડિયા અહેવાલો અનુસાર પોલીસ એફઆઈઆરમાં ઓરેવાના ઉચ્ચ અધિકારીઓ અથવા કંપનીને કોન્ટ્રાક્ટ આપનાર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો ઉલ્લેખ નથી. ઓરેવા ગ્રૂપના અન્ય મેનેજર દીપક પારેખ અને બ્રિજનું સમારકામ કરનારા બે પેટા કોન્ટ્રાક્ટરને શનિવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટ બુકિંગ ક્લાર્ક સહિત અન્ય પાંચ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

English summary
Morbi Tragedy: 'It was God's Will...' Accused Manager Speaks Before Judge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X