વિવાદના રાજકારણને મૂકી મોદી પહોંચ્યા મા અંબાના શરણે, તસવીરો
ગાંધીનગર, 15 એપ્રિલ: એકબાજુ દેશની રાજનીતિમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને લઇને ઉથલપાથલ મચી જવા પામી છે જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદી પોતાની જાતને આ તમામ વિવાદોથી દૂર રાખીને આજે અંબાજી આરાસુરી શક્તિપીઠમાં મા અંબાજીના ભક્તિભાવથી પૂજાદર્શન કર્યા હતા. મોદીનું આ વલણ અન્ય રાજકારણીઓથી તદ્દન અગલ તરી આવે છે. અને તેમની લોકપ્રિયતાની પાછળ આ પણ એક કારણ રહેલું છે કે તેઓ ફોગટના વાદવિવાદોમાં નથી પડતા.
ચૈત્રી નવરાત્રીના પર્વની પાંચમના પ્રભાતે નરેન્દ્ર મોદી અંબાજી તીર્થક્ષેત્રમાં જઇને માતૃસ્વરૂપા અંબામાતાના મંદિરમાં જઇને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ચૈત્રી નવરાત્રીના ઉપવાસની આરાધના કરે છે અને આજે પાંચમાં ઉપવાસે ભક્તિભાવથી મા આદ્યશક્તિની પૂજાઅર્ચના તેમણે આરાસૂર ધામ અંબાજી શક્તિપીઠમાં કરી હતી.
આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદા બ્રહ્મભટ્ટ તથા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે મુખ્યમંત્રીનું મંદિર પરિસરમાં સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીની મા અંબાની પૂજા અર્ચના જુઓ તસવીરોમાં...
મોદી પહોંચ્યા મા અંબાના શરણે
મોદી પહોંચ્યા મા અંબાના શરણે
મોદી પહોંચ્યા મા અંબાના શરણે
મોદી પહોંચ્યા મા અંબાના શરણે