For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

45 વર્ષથી મોદી પોતાના ઘરે નથી ગયા!

|
Google Oneindia Gujarati News

Narendra modi
અમદાવાદ, 4 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ સોમાભાઇએ જણાવ્યું કે મોદીએ સમાજસેવા માટે 1967માં જ પોતાના ઘરનો ત્યાગ કરી દીધો હતો. એ સમયે તેઓ માત્ર 16 વર્ષના હતા.

સોમાભાઇએ જણાવ્યું કે મોદીના શાસનમાં જેટલું કામ થયું છે તેટલું કામ અન્ય કોઇના શાસનમાં થયું નથી. તેઓ ત્રીજી વખત પણ પોતાના ભાઇને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.

સોમાભાઇએ છેલ્લીવાર પોતાના ભાઇ મોદી સાથે અઢી મહીના પહેલા એક સાર્વજનિક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી. સોમાભાઇએ જણાવ્યું કે ગુજરાતના રમખાણોને લઇને નરેન્દ્રને બદનામ કરવામાં આવી રહ્યા છે.

જ્યારે તેઓ એક વખત કાશ્મીર ગયા હતા ત્યારે તેમને ત્યાના લોકોએ જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની જાય તો કાશ્મીરનો મુદ્દો હલ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે નાનપણથી જ નરેન્દ્રભાઇ ખુબ જ અનુસાશિત અને સાહસી હતા.

English summary
Narendra Modi did not go home since 45 years said his brother Somabhai Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X