For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મોદી, શુ કોંગ્રેસને સેના પર પણ વિશ્વાસ નથી

ગુજરાતના જામનગરથી પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કર્યા છે. સોમવારે જામનગર પહેલા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષને સેના પર પણ વિશ્વાસ નથી

|
Google Oneindia Gujarati News

ગુજરાતના જામનગરથી પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કર્યા છે. સોમવારે જામનગર પહેલા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષને સેના પર પણ વિશ્વાસ નથી, તેઓ સેનાના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન તેમને આતંક પર કરેલી કાર્યવાહી પર પોતાની સરકારના વખાણ પણ કર્યા. પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.

આ પણ વાંચો: પીએમ મોદી રાજકીય રેલીઓમાં પણ કરે છે ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ?

સેના પર સવાલ સમજની બહાર

સેના પર સવાલ સમજની બહાર

અહીં પીએમ મોદીએ કહ્યું કે સ્વાભાવિક રીતે આપણે સેનાની કાર્યવાહી પર ભરોષો અને ગર્વ કરવો જોઈએ. મને હજુ સુધી સમજમાં નથી આવ્યું કે કેટલાક લોકો સેના પર કેમ સવાલ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ પર ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકોને આપણા દેશની સેના પર શંકા છે.

રાફેલ હોત તો વાત અલગ હોત

રાફેલ હોત તો વાત અલગ હોત

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો રાફેલ પર સવાલ કરી રહ્યા છે પરંતુ જો ભારત પાસે રાફેલ હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. એટલું જ નહીં પરંતુ એર સ્ટ્રાઇક પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આતંકના આકાઓ પણ સમજી ગયા છે કે અમે ઘરમાં ઘૂસીને મારીયે છે. આજે આખો દેશ સહમત છે કે આતંકનો ખાત્મો થવો જરૂરી છે.

ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતની બે દિવસની મુલાકાતમાં પીએમ મોદી ઘણી યોજનોનું ઉદ્ઘાટન કરવાના છે. સોમવારે જામનગરમાં તેમને 1 હજાર કરોડ રૂપિયાની કિંમતે બનનાર વિશ્વ ઉમિયા ધામના મંદિર પરિસરની શિલાન્યાસ સહીત બધા જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

English summary
Narendra Modi in Jamnagar Gujarat Indian Air Force Rafale
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X