For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જશોદાબેનને ના મળી આરટીઆઇ હેઠળ માહિતી!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનને ગુજરાત પોલીસે આરટીઆઇ હેઠળ એટલે કે માહિતી અધિકારના કાનૂન અંતર્ગત માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે પોતાના સુરક્ષા કવરને લઇને પોલીસ પાસે જાણકારી માંગી હતી.

શું છે આખી ઘટના
વાસ્તવમાં નરેન્દ્ર મોદી જ્યા સુધી મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય પણ પોતાની પરણિત હોવા અંગેની વાત અધિકારિક રીતે જણાવી નથી. પરંતુ લોકસભા ચૂંટણીમાં તેમણે જ્યારે પોતાનું સોગંધનામુ દાખલ કર્યું તેમણે તેમાં જશોદાબેન તેમની પત્ની હોવાનો ઉલ્લેખ કર્યો. બાદમાં વડાપ્રધાન બનતા પ્રોટોકોલ હેઠળ જશોદાબેનને સુરક્ષા પ્રદાન કરી દેવામાં આવી ગઇ.

jashodaben
હવે જશોદાબેન જે સુરક્ષા કવચ નથી ઇચ્છતા, તેઓ હાલમાં સુરક્ષાની વચ્ચે અસહજ અનુભવી રહ્યા છે. આ હેઠળ નવેમ્બરમાં તેમણે ગુજરાત પોલીસમાં એક આરટીઆઇ દાખલ કરી, જે હેઠળ તેમણે પોતાના અધિકારો અંગે કેટલાંક સવાલો કર્યા. ગુજરાતના મહેસાણા જિલ્લાના પોલીસ અધીક્ષકે જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો.

પોલીસે શા માટે ના આપી માહિતી
પોલીસે જણાવ્યું કે જશોદાબેનને સુરક્ષા ગુપ્ત વિભાગ આઇબીના નિર્દેશાનુસાર આપવામાં આવી રહી છે, માટે આ આરટીઆઇનો જવાબ પણ તેમણે જ આપવો જોઇએ. પોલીસ તો તેમનું કામ કરી રહી છે. અધીક્ષકે જણાવ્યું કે આ આરટીઆઇ આઇબીના કાર્યક્ષેત્રમાં આવે છે, માટે તેઓ તેનો જવાબ આપી શકે નહીં.

નોંધનીય છે કે જશોદાબેન ખૂબ જ સાધારણ રીતે પોતાનું જીવ વિતાવી રહ્યા છે. તેઓ મહેસાણાની શાળામાંથી રિટાયર્ડ ટીચર છે અને ઇશ્વરવાડા ગામમાં પોતાના ભાઇની સાથે રહે છે.

English summary
Information sought by Jashodaben, wife of prime minister Narendra Modi, on the security cover given to her through an RTI has been denied by police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X